________________
૩૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ક્ષાંતિ જ શત્રની નિર્નાશક છે. ચતુરંગ મહાબલ છે ક્ષાંતિવાળા જીવોના ભાવને નાશ કરવામાં ક્ષાંતિ જ અંતરંગ ચતુરંગ બળ છે. અહીં=ક્ષાંતિના વિષયમાં, વધારે કહેવાથી શું ? ક્ષાંતિમાં સર્વપ્રતિષ્ઠિત છે. ll૧૮II. શ્લોક :
अत एव तु सा कन्या, मुनिलोकमनोहरा ।
कुर्यादीदृशरूपायां, को न चित्तं सचेतनः? ।।१९।। શ્લોકાર્ચ -
આથી જ=ક્ષમામાં સર્વ હિત પ્રતિષ્ઠિત છે, આથી જ, મુનિલોકને મનોહર એવી તે કન્યા છે. આવા સ્વરૂપવાળી તે કન્યામાં કોણ બુદ્ધિમાન જીવ ચિત્ત ન કરે ? અર્થાત્ બુદ્ધિમાન જીવોને ક્ષાંતિ કન્યા જ અત્યંત પ્રિય છે. ll૧૯ll
શ્લોક :
अन्यच्चयस्य चित्तं समारोहेद्विलसन्ती स्वलीलया ।
सा कन्या धन्यतां प्राप्य, सोऽपि तद्रूपतां व्रजेत् ।।२०।। શ્લોકાર્ચ -
અને બીજું, સ્વલીલાથી વિલાસ પામતી તે કન્યા જેના ચિત્તને સમારોહ કરે=જેના ચિતમાં વસે, ધન્યતાને પામીને તે પણ તે જીવ પણ, તદ્રુપતાને પામે છે=ક્ષમારૂપતાને પામે છે. ll ll
वैश्वानरसंसर्गत्यागोपायः क्षान्तिपरिणयः શ્લોક :
अतः सम्यग्गुणाकाङ्क्षी, कः सकर्णो न तां हृदि ? । कुर्यात्कन्यां सदाकालं, सर्वकामसमर्पिकाम् ।।२१।।
વૈશ્વાનરના સંસર્ગના ત્યાગનો ઉપાયઃ ક્ષમા સાથે લગ્ન શ્લોકાર્ચ -
આથી, સન્ ગુણનો આકાંક્ષી કયો બુદ્ધિમાન પુરુષ સર્વકામને સમર્પિત કરનારી એવી તે કન્યાને સદાકાલ હૃદયમાં ન કરે ? ર૧||