________________
રૂપ
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
क्षान्तिरेव परं ब्रह्म, सत्यं क्षान्तिः प्रकीर्तिता । क्षान्तिरेव परामुक्तिः, क्षान्तिः सर्वार्थसाधिका ।।१५।।
શ્લોકાર્થ :
ક્ષાંતિ જ પરમ બ્રહ્મ કહેવાયું છે=આત્માનું શુદ્ધ સ્વરૂપ કહેવાયું છે. ક્ષાંતિ સત્ય કહેવાઈ છે= સત્ય નામનું બીજું મહાવ્રત કહેવાયું છે. ક્ષાંતિ જ પરામુક્તિ છે=ક્ષાંતિ જ શ્રેષ્ઠકોટિની નિલભતા છે. ક્ષાંતિ સર્વ અર્થની સાધિકા છે=જીવનું સર્વ પ્રકારનું સુખ પ્રયોજન છે તે સર્વ અર્થને સાધનારી છે. II૧પI
શ્લોક :
शान्तिरेव जगद्वन्द्या, शान्तिरेव जगद्धिता ।
क्षान्तिरेव जगज्ज्येष्ठा, क्षान्तिः कल्याणदायिका ।।१६।। શ્લોકાર્ચ -
ક્ષાંતિ જ જગતવબ્ધ છે. અર્થાત્ ક્ષમાપ્રધાન મુનિ કે તીર્થકરો આદિ જગતવળે છે માટે જ ક્ષાંતિ જ જગતવળે છે. ક્ષાંતિ જ જગતના હિતને કરનારી છે. અર્થાત્ સ્વપરના હિતને કરનારી છે. ક્ષાંતિ જ જગતમાં જ્યેષ્ઠ છે=જીવને સર્વોતમ બનાવનાર હોવાથી જગતમાં જ્યેષ્ઠ છે. ક્ષાંતિ કલ્યાણને દેનારી છે. II૧૬ll.
શ્લોક :
शान्तिरेव जगत्पूज्या, क्षान्तिः परममङ्गलम् । शान्तिरेवौषधं चारु, सर्वव्याधिनिबर्हणम् ।।१७।।
શ્લોકાર્ચ -
ક્ષાંતિ જગતપૂજ્ય છે. ક્ષાંતિ પરમ મંગલ છે=ક્ષાંતિના પરિણામવાળા જીવો મંગલની પરંપરાને પ્રાપ્ત કરે છે માટે ક્ષાંતિ પરમ મંગલ છે. ક્ષાંતિ જ સર્વ વ્યાધિને દૂર કરનાર સુંદર ઔષધ છે. અર્થાત્ ક્ષમાપ્રધાન મુનિના સર્વ ભાવરોગો ક્ષાંતિથી જ ક્ષીણ થાય છે. ll૧૭ll શ્લોક :
क्षान्तिरेवारिनिर्नाशं, चतुरङ्गं महाबलम् । किञ्चात्र बहुनोक्तेन? क्षान्तौ सर्वं प्रतिष्ठितम् ।।१८।।