________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :
આથી સત્યઃખરેખર, સ્વવિલાસોથી તેણી વડેઃનિષ્પકંપતા વડે, રતિ અપહસિત છે અને જે પ્રમાણે ભર્તાની ભક્તા તે નિષ્પકંપતા છે. તે પ્રમાણે હવે, કહેવાય છે. II II. શ્લોક :
आपत्रिमग्नभर्तारं, प्रक्राम्य निजजीवितम् ।
निर्वाहयति वीर्येण, तेनासौ भर्तृवत्सला ।।१०।। શ્લોકાર્થ :
નિજજીવિતનો વિનાશ કરીને વીર્યથી આપત્તિમાં નિમગ્ન એવા ભર્તાનો નિર્વાહ કરે છે. તે કારણથી આકનિષ્પકંપતા, ભદ્રંવત્સલ છે. ||૧૦|| શ્લોક -
अरुन्धती पुनर्नव, पत्युः संरक्षणक्षमा ।
निष्पकम्पतया तस्मात्, भर्तृभक्ततया जिता ।।११।। શ્લોકાર્ચ -
વળી, અરુન્ધતી પતિના સંરક્ષણમાં સમર્થ નથી જ, તે કારણથી ભર્તુનું ભક્તપણું હોવાથી નિકંપતા વડે અરુન્ધતી જિતાઈ છે. ll૧૧ી. શ્લોક :
किञ्चेह बहुनोक्तेन? राज्ञः कार्यप्रसाधनी ।
तस्य राज्ये परं सारा, सा देवी निष्पकम्पता ।।१२।। શ્લોકાર્ચ -
વધારે શું કહેવું? રાજાના કાર્યને પ્રસાધન કરનારી તેના રાજ્યમાં શ્રેષ્ઠ સારરૂપ એવી તે દેવી નિષ્પકંપતા છે. ||૧૨ાાં ભાવાર્થ :
ચિત્તસૌંદર્યનગરમાં શુભ પરિણામ રાજા છે અને તેની નિષ્પકંપતા મહાદેવી છે. એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ અવલોકન કરીને ચિત્તનું સૌંદર્ય પ્રાપ્ત કર્યું છે તે જીવોને સંસારના ઉચ્છેદ માટેનો શુભપરિણામ પ્રગટ થાય છે. ત્યારપછી તેઓ નિષ્પકંપતાપૂર્વક સંસારના ઉચ્છેદને માટે યત્ન કરે છે. ત્યારે તે શુભ પરિણામનો નિષ્પકંપતા સાથે સંબંધ થાય છે. અને તે નિષ્પકંપતા કેવા સ્વરૂપવાળી છે તે બતાવે છે. જેમ કોઈ રાજાની રાણી શરીરના સૌંદર્યવાળી હોય, તેમ નિષ્પકંપતા જીવના