________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
लोभकामादिभिः सर्वे, जितास्ते भावशत्रुभिः ।
न कौशलमतस्तेषां विद्यते परमार्थतः । । ५ । । युग्मम्
શ્લોકાર્થ ઃ
રુદ્ર, ઈન્દ્ર, ઉપેન્દ્ર, ચન્દ્રાદિ અને લોકમાં વિખ્યાત જે અન્ય કલાકૌશલશાલી ભુવનત્રયમાં વિધમાન છે, તે સર્વ ભાવશત્રુ એવા લોભકામાદિથી જિતાયા છે, આથી પરમાર્થથી તેઓમાં કુશલપણું વિધમાન નથી. ।।૪-૫।।
શ્લોક ઃ
तस्यास्तु देव्यास्तत्किञ्चित्कौशलं येन लीलया । तान्पराजयते तेन, साऽभिभूतजगत्त्रया ।।६।।
શ્લોકાર્થ :
વળી, તે દેવીનું તે કંઈક કૌશલ્ય છે, જેના કારણે લીલાથી તેઓનો=ભાવશત્રુનો, પરાજય કરે છે, તે કારણથી અભિભૂત કર્યો છે જગતત્રયને જેણે એવી તે છે. IIII
શ્લોક ઃ
तेर्विलासाः कामस्य, केवलं तोषहेतवः ।
मुनयस्तु पुनस्तेषां न वार्त्तामपि जानते ।।७।।
૨૯
શ્લોકાર્થ :
કામની રતિના વિલાસો ફક્ત તોષના હેતુ છે=ક્ષણભર તોષના હેતુ છે, વળી, મુનિઓ તેઓની વાર્તા પણ જાણતા નથી=કામના વિલાસોની વાર્તા પણ જાણતા નથી. 11811
શ્લોક ઃ
तस्याः सत्काः पुनर्देव्या, व्रतनिर्वाहणादयः ।
विलासा मुनिलोकस्य, मानसाक्षेपकारिणः ॥ ८ ॥
શ્લોકાર્થ ઃ
વળી, તે દેવી સંબંધી=નિષ્પકંતાદેવી સંબંધી, વ્રતનિર્વાહણાદિ વિલાસો મુનિલોકના માનસને આક્ષેપ કરનારા છે. IIII
શ્લોક ઃ
अतोऽपहसिता सत्यं स्वविलासै रतिस्तया । यथा च भर्तुर्भक्ता सा, तथेदानीं निगद्यते ।।९।।