________________
૪૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ સ્ફરિત થયાં. કેટલાક ચોરટાઓ મારી નંખાયા. કલકલ થયો. તેથી તેઓનું બહુપણું હોવાથી=ચોરટાઓ ઘણા હોવાથી, મારા હાથથી તલવાર ગ્રહણ કરાઈ. આત્મભયથી હું તેઓ વડે બંધાયો. એટલામાં દિવસ અસ્ત થયો. અંધકાર ફેલાયો. ચોરટાઓ વડે વિચારાયું. જે આ પ્રમાણે અમારો પૂર્વવૈરિક જ આ નંદિવર્ધન છે. જેના વડે પ્રવરસેન હણાયો હતો. હમણાં પણ આવા વડે જ આ પ્રધાન પુરુષો મારી નંખાયા. તોપણ અમારા વડે સ્વામીભાવથી આ નંદિવર્ધન, સ્વીકારાયો છે. લોકમાં પ્રખ્યાપિત કરાયો છે. આગનંદિવર્ધન, અમારો સ્વામી છે. એ દેશાંતરમાં વિજ્ઞાન છે. તેથી આના મારણમાં મોટો અપયશ પ્રાપ્ત થશે. આ=નંદિવર્ધન, અગ્નિની જેમ પુટ્ટલકમાં–છૂટો મૂકવામાં, કોઈ રીતે વારવો શક્ય તથી અમને મારતા તેને વારવો શક્ય નથી. તે કારણથી દૂર દેશમાં લઈ જઈને આનો ત્યાગ જ શ્રેયસ્કર છે. એ પ્રમાણે સિદ્ધાંત સ્થાપિત કરાયો. ત્યારપછી ગાડામાં બૂમો પાડતો હું નિયંત્રિત કરાયો. વસ્ત્રથી મુખનો દેશ બંધાયો. મનરૂપી પવનની ગતિવાળા વૃષભો=તીવ્ર વેગવાળા બે બળદીઆઓ, યોજન કરાયા. કેટલાક પુરુષો પ્રસ્થાપિત કરાયા. ગાડું રવાના કરાયું. રાતના જ બાર યોજનો પસાર કરાયા. ત્યારપછી અનવરત પ્રયાણકો વડે શાર્દૂલપુર હું પ્રાપ્ત કરાયો. મલવિલય નામના બહિજંગલમાં હું ત્યાગ કરાયો. ગાડા સહિત તે મનુષ્યો સ્વસ્થાનમાં ગયા.
शार्दूलपुरस्य बहिरुद्याने केवल्यागमनम् स्तोकवेलायां-अकाण्ड एव विजृम्भितः सुरभिपवनः, विमुक्तः सहजोऽपि वैरानुबन्धः पशुगणैः, भुवनश्रियेव तत्समाध्यासितं काननं, समवतीर्णाः समकमेव सर्व ऋतवः, प्रमुदिता विहङ्गमगणाः, मनोहरमनुत्तालतालं रुण्टितं मधुकरावलीभिः, विगततापं विशेषतस्तमुद्देशमुद्योतयितुमारब्धो दिनकरः, तथा ममापि मनाग्गलित इव चित्तसन्तापः । तदनन्तरं च देहभूषणप्रभाप्रवाहेण द्योतयन्तो दिक्चक्रवालं समागतास्तत्र देवाः, शोधितं तैर्भूतलं, वृष्टमतिसुरभिगन्धोदकं, विमुक्तः पञ्चवर्णमनोहारिकुसुमप्रकरः, विरचितं विशालमतिरमणीयं मणिकुट्टिम, विहितं तस्योपरि कनककमलं, विस्तारितमुपरिष्टादेव दूष्यवितानं, अवलम्बितास्तत्र मौक्तिकाऽवचूलाः । ततः समुत्सुकैस्तैर्देवैरवलोकितमार्गः कल्पद्रुम इव यथेष्टफलदायितया, कनकगिरिरिव स्थिरतया, क्षीरनीरधिरिव गुणरत्नाकरतया, शशधर इव शीतलेश्यतया, दिनकर इव सप्रतापतया, चिन्तामणिरिव दुर्लभतया, स्फटिक इव निर्मलतया, भूभाग इव सर्वसहिष्णुतया, गगनतलमिव निरालम्बनतया, गन्धकरटीव वरकरिभिः परिकरितः स्वप्रतिबिम्बकैरिव बहुविधविनेयैः समागतः केवलज्ञानदिवाकरो विवेको नामाचार्यः । समुपविष्टः कनककमले ।
શાર્દૂલપુરની બહારના ઉધાનમાં કેવલીનું આગમન થોડી વેળામાં અકાંડે જ સુરભિપવન વિભૂભિત થયો. પશુગણ વડે સહજ પણ વૈરાનુબંધ ત્યાગ