SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ જેઓ શક્તિના પ્રકર્ષથી આત્માના ભાવપ્રાણ રક્ષણ કરવા અને અન્ય જીવો પ્રત્યે દયાના સ્વભાવવાળા છે તે જીવોને મોક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સુંદર દેવલોક અને સુંદર મનુષ્યભવ મળે છે અને અંતે મોક્ષસુખ મળે છે તેથી સર્વ સુખની પ્રાપ્તિનું પ્રબલ કારણ દયાળુ ચિત્ત છે. શ્લોક : आनन्दपद्धतेर्हेतुस्तेन सा कन्यका मता । अत एव सुसाधूनां, हृदये सा प्रतिष्ठिता ।।९।। શ્લોકાર્ચ - તે કારણથી તે કન્યા આનંદપદ્ધતિનો હેતુ મનાય છે બધાં સુખો કરતલવત દયાળુ જીવને છે તે કારણથી દયા આનંદની પરંપરાનો હેતુ મનાય છે. આથી જEદયા આનંદપદ્ધતિનો હેતુ છે. આથી જ, સુસાધુના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. ll ll શ્લોક : અથવાदया हितकरी लोके, दया सर्वगुणावहा । કયા દિ થર્મસર્વસ્વં, તથા કોષનિકૂદની સારવા શ્લોકાર્ચ - અથવા લોકમાં દયા હિતકરી છે, દયા સર્વ ગુણોને લાવનારી છે, દયા ધર્મનું સર્વસ્વ છે, દયા દોષને નાશ કરનારી છે; II૧૦ શ્લોક - दयैव चित्तसन्तापविध्यापनपरायणा । दयावतां न जायन्ते, नूनं वैरपरम्पराः ।।११।। શ્લોકાર્ધ : દયા જ ચિત્તના સંતાપના વિધ્યાપનમાં પરાયણ છે. દયાવાળા જીવોને ખરેખર વૈરની પરંપરા થતી નથી. II૧૧/l. દયા અન્ય જીવોને હિત કરનારી છે. જેના ચિત્તમાં દયા વર્તે છે તેમાં અન્ય સર્વ ગુણો સ્વાભાવિક આવે છે; કેમ કે દયાળુ જીવ પોતાના આત્માને શક્તિ અનુસાર કષાયોથી રક્ષણ કરે છે. દયા ધર્મનું રહસ્ય છે; કેમ કે જેને આત્માની દયા નથી તેનું સર્વ ધર્માનુષ્ઠાન નિષ્ફળ છે. અને જેમ જેમ દયા જીવમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ અનાદિના દોષો ક્ષય પામે છે. વળી, જેના ચિત્તમાં દયા વર્તે છે તેના ચિત્તમાં કષાયોનો સંતાપ સતત અલ્પ અલ્પતર થતો જાય છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy