________________
૪૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
માતાપિતાનું મિલન અને પૌરજન વડે કરાયેલ હર્ષોત્સવ ત્યારપછી રથથી ઊતરીને હું પિતાના પગમાં પડ્યો. બે ખભાના દેશથી ગ્રહણ કરીને ઊભો કરીને આનંદના ઉદકની વર્ષોથી સ્નાન કરાવતા પિતા વડે હું સમાલિંગિત કરાયો. વારંવાર મસ્તકતા દેશમાં ચુંબન કરાયો. ત્યારપછી મારા વડે માતા જોવાઈ. તેણીનું પાદપતન કરાયું. હું માતા વડે સમાલિંગિત કરાયો. મસ્તકમાં ચુંબન કરાયો. આનંદના અશ્રુથી પરિપૂર્ણ લોચતવાળા ગદ્ગદ્ વાણીથી હું કહેવાયો. જે આ પ્રમાણે – હે પુત્ર ! વજની શિલાના સમ્પટથી ઘટિત તારી માતાના સંબંધી હણાયેલું આ હૃદય છે જે કારણથી તારા પણ વિરહમાં હજાર ટુકડા વડે નાશ પામ્યું નહીં. અને અમે આ ગર્ભવાસના જેવા નગરના રોધકથી તારા વડે મુક્ત કરાયા. આથી મારા પણ જીવિતથી તું ચિરકાળ જીવ. તેથી લજ્જિત થયેલો હું થોડો અધોમુખવાળો રહ્યો. સર્વ પણ રથવરમાં આરૂઢ થયા.
બ્લોક :
તતશ્યहृष्टा वैरिविमर्दैन, तुष्टा मत्सङ्गमेन च ।
ते राजलोकाः सर्वेऽपि, तदा किं किं न कुर्वते? ।।१।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી વૈરીના વિમર્દનથી હર્ષિત થયેલા, મારા સંબંધથી તોષ પામેલા તે સર્વ પણ રાજલોકો ત્યારે શું શું ન કરે? I૧ શ્લોક :
તથાદિकेचिद्ददति दानानि, केचिद् गायन्ति भाविताः ।
उद्दामतूर्यनिर्घोषैः, केचिनृत्यन्ति निर्भरम् ।।२।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – કેટલાક દાન આપે છે, ભાવિત એવા કેટલાક ગીતો ગાય છે. ઉદ્દામ વાંજિત્રોના નિર્દોષ વડે કેટલાક અત્યંત નૃત્ય કરે છે. llll શ્લોક :
केचित्कलकलायन्ते, केचिदुत्कृष्टनादिनः । काश्मीरचन्दनक्षोदैः, केचित्केलिपरायणाः ।।३।।