________________
૩૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ शशधरे नामकं, तदुत्थाय पुनर्यो मर्हति राजसूनुः । ततोऽहो अस्य महानुभावता, अहो गम्भीरता अहो पुरुषातिरेकः, अहो वचनातिरेकः इति चिन्तयता विभाकरेणाभिहितं-आर्य! अलमिदानीं युद्धन, निर्जितोऽहं भवता न केवलं खड्गेन, किं तर्हि ? चरितेनापि । ततः परमबन्धुवत् स्वयं निवेशितो विभाकरः स्वकीयस्यन्दने कनकशेखरेण, समाह्लादितो मधुरवचनैः, उपसंहृतमायोधनं, गतं पदातिभावं सर्वमपि परसैन्यं कनकशेखरस्य, दृष्टे भयातिरेकप्रकम्पमानगात्रयष्टी विमलाननारत्नवत्यौ, समानन्दिते पेशलवाक्यैः, स्थापिते निजभर्तृस्यन्दनयोः कनकचूडेन ।
કનકશેખરની મહાનુભાવતા આ બાજુ કતકશેખરની સાથે પણ વિભાકર યુદ્ધમાં આવેલો, બાણની વર્ષોના છેદની અનંતર તેના વડે વિભાકર વડે, કનકશખર ઉપર આગ્નેય (અગ્નિશસ્ત્ર) સર્પાદિ શસ્ત્રો મુકાયાં. કલકશેખર વડે વારુણ=જલશસ્ત્ર, અને ગારુડ એવાં પ્રતિશસ્ત્રો વડે નિવારણ કરાયા, તેથી તલવારની સહાયવાળો વિભાકર રથથી ઊતર્યો. રથમાં રહેલા એવા મારું ભૂમિમાં રહેલાની સાથે યુદ્ધ કેવા પ્રકારનું? અર્થાત્ યુદ્ધ ઉચિત નથી. એમ માનીને કનકશેખર પણ ભૂતલમાં ઊભો રહ્યો, ત્યારપછી બતાવાયેલા અનેક કરણના વિન્યાસવાળું, અભિવાંછિત મર્મપ્રહારવાળું પ્રતિપ્રહારના વંચવાના સારવાળું બંનેનું પણ=વિભાકર અને કતકશેખર બંનેનું પણ, ઘણી વેળા સુધી બલકરવાબ=બલ અને તલવારનું યુદ્ધ થયું. ત્યારપછી કનકશેખર વડે સ્કંધદેશમાં હણીને ખભા ઉપર ઘા કરીને, પૃથ્વી ઉપર પડાયેલો વિભાકર મૂચ્છને પામ્યો. કનકશેખરના બલમાં=સેવ્યમાં, હર્ષનો કલકલ થયો. ત્યારપછી તેને યુદ્ધને, નિવારણ કરીને વાયદાન=પંખો નાંખવો અને પાણીના સિંચન આદિ વડે કનકશેખર વડે વિભાકર આધ્વાસિત કરાયો. અને કહેવાયું – હે નરેન્દ્રપુત્ર ! સુંદર સુંદર તારા વડે પુરુષકાર મુકાયો નથી. દીન ભાવ સ્વીકારાયો નથી. પૂર્વ પુરુષની સ્થિતિ સમુવાલિત કરાઈ છે=પૂર્વ પુરુષોની ઉચિત આચરણા તારા વડે સેવાઈ છે. શશધરમાં તારું નામ લેખિત કરાયું છે તે કારણથી ઊઠીને હે રાજપુત્ર ! યુદ્ધ કરવું યોગ્ય છે તેથી=કતકશેખરે આ પ્રમાણે કહ્યું તેથી, અહો આવી મહાનુભાવતા, અહો ગંભીરતા ! અહો પુરુષાતિરેક ! અહો વચનાતિરેક એ પ્રમાણે ચિંતન કરતા વિભાકર વડે કહેવાયું – હે આર્ય ! હવે યુદ્ધથી સર્યું. હું તારા વડે કેવલ ખગથી જિતાયો નથી. પરંતુ ચરિત્રથી પણ જિતાયો છું. ત્યારપછી પરમબંધુની જેમ સ્વયં વિભાકર કનકશેખર વડે પોતાના રથમાં બેસાડાયો. મધુર વચનો વડે આલ્લાદિત કરાયો. યુદ્ધ શાંત થયું. સર્વ પણ પરનું સેવ્ય કતકશેખરનો સેવકભાવ પામ્યું. ભયના અતિરેકથી કાંપતા ગાત્રવાળી વિમલાનના અને રસ્તવતી જોવાઈ. સુંદર વચનો વડે બંને આનંદિત કરાઈ. પોતાના ભર્તાના રથમાં કનકચૂડ વડે બંને વિમલાનના અને રસ્તવતી, સ્થાપત કરાઈ.
अवाप्तजययोर्नगरप्रवेशः ततो लब्धजयतया हर्षपरिपूर्णा वयं कुशावर्तपुरे प्रवेष्टुमारब्धा ।