________________
૩૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રવરસેન ચોરટાનું, મસ્તક છેદાયું. અમારા બળમાં=સેચમાં, કલકલ ઉલ્લસિત થયો. મારા ઉપર દેવતા વડે કુસુમવૃષ્ટિ મુકાઈ. સુગંધી પાણી વરસાવાયું, દુભિ વગાડાઈ, જય જય શબ્દ સમુદ્ર ઘોષિત કરાયો, ત્યારપછી હતનાયકપણું હોવાથી ચરટનું સૈન્ય ખેદ પામ્યું, લટકાવ્યા છે પ્રહરણ જેણે એવું તે મારા શરણને પામ્યું, મારા વડે સ્વીકારાયું. યુદ્ધ નિવૃત્ત થયું. સન્ધિ થઈ. બધા ચોરટાઓ વડે મારો સેવકભાવ સ્વીકારાયો. મારા વડે વિચારાયું=નંદિવર્ધન વડે વિચારાયું – અહો હિંસાના માહાભ્યનો પ્રકર્ષ, જે કારણથી આના વડે હિંસા વડે, જોવાયેલા પણ મારો આટલો ઉન્નતિવિશેષ થયો. કતકશેખર આદિ વડે તેઓ પણ ચોરટાઓ પણ, સન્માનિત કરાયા.
૩મયોપ્યાં વિવાદ: दत्तं प्रयाणकं, संप्राप्ता वयं कुशावर्तपुरे, समानन्दितः कनकशेखरकुमारागमनेन कनकचूडराजः, तुष्टो मद्दर्शनेन, ततो विधापितस्तेन महोत्सवः, पूजितः प्रणयिवर्गः, ततो गणितं विमलाननारत्नवत्योविवाहदिनं, समागतं पर्यायेण, कृतमुचितकरणीयम्, ततो दीयमानैर्महादानविधीयमानैर्जनसन्मानैर्बहुविधकुलाचारैः संपाद्यमानैरभ्यर्हितजनोपचारैर्गानवादनपानखादनविमर्दैन निर्भरीभूते समस्ते कुशावर्तपुरे परिणीता कनकशेखरेण विमलानना मया रत्नवतीति, ततो विहितेषचितकर्तव्येषु निवृत्ते विवाहमहानन्दे गते दिनत्रयेऽदृष्टपूर्वतया कुशावर्त्तस्यातिरमणीयतया तत्प्रदेशानां, कुतूहलपरतया यौवनस्य, समुत्पन्नतयाऽस्मासु विश्रम्भभावस्य गृहीत्वाऽस्मदनुज्ञां नगरावलोकनाय निर्गते भ्रमणिकया सपरिकरे विमलाननाરત્નવત્યો !
ઉભયનો ઉભયની સાથે વિવાહ પ્રયાણક અપાયું, અમે કુશાવર્તપુરમાં પહોંચ્યા. કનકશેખરકુમારના આગમનથી કાકચૂડ રાજા આનંદ પામ્યો. મારા દર્શનથી તોષ પામ્યો. ત્યારપછી તેના વડે કાકચૂડ રાજા વડે, મહોત્સવ કરાવાયો. સ્નેહીવર્ગ પૂજાયો. ત્યારપછી વિમલાનના અને રસ્તવતીનો વિવાદિત જોવાયો. પર્યાયથી ક્રમથી, આવ્યો વિવાહ દિવસ આવ્યો. ઉચિત કરણી કરાઈ. ત્યારપછી અપાતા મહાદાન વડે, કરાતા જનસમાન વડે, બહુ પ્રકારના કુલાચારો વડે, સંપાદ્યમાન એવા અભ્યહિત લોકોના ઉપચાર વડે, ગાન, વાદન, પાન, ખાદનના વિમર્દથી હર્ષિત થયેલું સમસ્ત કુશાવર્તનગર હોતે છતે કતકશેખર વડે, વિમલાનના અને મારા વડે રસ્તવતી પરણાઈ, ત્યારપછી ઉચિત કર્તવ્ય કરાયે છતે વિવાહનો મહાઆનંદ પૂરો થયા પછી, ત્રણ દિવસ પસાર થયે છતે કુશાવર્ત નગરનું અદષ્ટ પૂર્વપણું હોવાને કારણે, ત~દેશોનું અતિ રમણીયપણું હોવાને કારણે, યૌવનનું કુતૂહલપણું હોવાને કારણે, અમારામાં વિશ્વાસભાવનું સમુત્પન્નપણું હોવાને કારણે, અમારી અનુજ્ઞાને ગ્રહણ કરીને નગરના અવલોકન માટે ભમવાની ઈચ્છાથી પરિવાર સહિત વિમલાનના અને રત્નવતી નીકળી.