________________
૩૫૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
न चास्य तोषणोपायो, मुग्धलोकैर्विभाव्यते । अतो विषमशीलोऽसौ प्रकृत्या प्रतिपाद्यते । । ६ ।।
શ્લોકાર્થ :
અને આના તોષણનો ઉપાય મુગ્ધલોકો વડે વિચાર કરાતો નથી. આથી આ=દુષ્ટાભિસંધિ પ્રકૃતિથી વિષમશીલ કહેવાય છે. II9TI
શ્લોક ઃ
सर्वाः सन्नीतयस्तावत्प्रवर्तन्ते जगत्त्रये ।
दुष्टाभिसन्धिनों यावत्तासां विघटको भवेत् ।।७।।
શ્લોકાર્ય
-
જગતત્રયમાં સર્વપણ સદ્નીતિઓ ત્યાં સુધી પ્રવર્તે છે જ્યાં સુધી તેનો વિઘટક દુષ્ટાભિસંધિ ન હોય. II૭II
શ્લોક ઃ
પ્રાદુર્ભાવે પુનસ્તત્વ, વવ ધર્મ: ? વર્ષે ૨ નીતવઃ? ।
तेनासौ नीतिमार्गस्य धीरैर्गीतो विलोपकः ।।८ ॥
શ્લોકાર્થ ઃ
વળી, તેના પ્રાદુર્ભાવમાં=દુષ્ટાભિસંધિના પ્રાદુર્ભાવમાં ક્યાં ધર્મ ક્યાં નીતિઓ ? અર્થાત્ ક્યાંય ધર્મ નથી અને ક્યાંય નીતિઓ નથી. તે કારણથી ઘીરપુરુષો વડે આ દુષ્ટાભિસંધિ નીતિમાર્ગનો વિલોપક કહેવાયો છે. IIII
निष्करुणतादेवीस्वरूपम्
तस्य च दुष्टाभिसन्धिनरेन्द्रस्यानभिज्ञा परवेदनानां, कुशला पापमार्गे, वत्सला चरटवृन्दस्यानुरक्तचित्ता निजे भर्तरि पूतनाकारा निष्करुणता नाम महादेवी ।
નિષ્કરુણતાદેવીનું સ્વરૂપ
અને પરવેદનાને નહીં જાણનારી=બીજાની પીડાને નહીં જાણનારી, પાપમાર્ગમાં કુશલ, ચોરટાના સમૂહમાં વત્સલ પોતાના ભર્તામાં અનુરક્ત ચિત્તવાળી=દુષ્ટાભિસંધિમાં અનુરક્ત ચિત્તવાળી, પૂતન આકારવાળી=પાપના આકારવાળી, તે દુષ્ટાભિસંધિ રાજાની નિષ્કરુણતા નામની મહાદેવી છે.