________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવના
૩૪૩ समाहूय समस्तस्थानेभ्यः प्रधानश्रावकानिदमभिहितं यदुत-अरे एष कनकशेखरकुमारोऽलीकधर्मग्रहगृहीतो राज्यं विनाशयितुं लग्नः, ततो युष्मभ्यमितःप्रभृति यदेष किञ्चित् प्रयच्छति, यश्च राजभागसद्भूतो भवतां करस्तद्वयमपि प्रच्छन्नमेव मम समर्पणीयं, न च कुमाराय निवेदनीयमितरथा नास्ति भवतां जीवितमिति । श्रावकैरुक्तं-यदाज्ञापयति महामात्यः, ततो निर्गतास्ते । मयाऽभिहितं-भद्र! अपि ज्ञातमेतत्तातेन ? चतुरः प्राह-ज्ञातम् । मयोक्तं-कुतः सकाशात् ? चतुरेणोक्तं-तत एव दुर्मुखात् । मयाऽभिहितं-ततः किमाचरितं तातेन? चतुरः प्राह-न किञ्चित्, केवलं कृता गजनिमीलिका । ततो मया चिन्तितं-यद्येष दुर्मुखः केवल एव तातस्याऽनभिप्रेतमिदमकरिष्यत्ततोऽहमदर्शयिष्यमस्य यदीदृशस्याविनयस्य फलं, यदा तु परकृतमनुमतमप्रतिषिद्धमिति न्यायात्, तातेनापीदं गजनिमीलिकां कुर्वताऽभिमतमेव, तदा किमत्र कुर्मः? यतो दुष्प्रतिकारौ मातापितरावित्याख्यातं भगवता, ततो न युक्तं तावत्तातेन सह विग्रहकरणं, नापीदृशमिदानीं द्रष्टुं शक्यं, तस्मादितोऽपक्रमणमेव श्रेयः, इत्यालोच्य कस्यचिदप्यकथयित्वा आप्तमित्रवृन्देन सहापक्रान्तोऽहं समागतोऽत्रेति । तदेष मे जनकेनापमानो विहित इति । मयाऽभिहितं-कुमार! सुन्दरमनुष्ठितं भवता, न युक्त एवाभिमानशालिनां पुरुषाणां मानम्लानिकारिभिः सहैकत्र निवासः । પિતા વડે કરાયેલ દુર્મુખની દુચેષ્ટાની અનુમતિ તથા
પીડિત કુમારનો નગર ત્યાગ મારા વડે વિચારાયું – શઠપ્રકૃતિ આ દુર્મુખ છે અને પાપાત્મા છે, તે કારણથી આ દુર્મુખ, શું આચરશે ? તે જણાતું નથી. જે કારણથી મોટા આશયથી પ્રથમ આના વડે દુર્મુખ વડે, મંત્રણા કરાઈ મને સર્વ કહેવાયું. પાછળથી અતિત્વરા વડે આકારનું સંવરણ કરાયું. અર્થાત્ પોતે પરીક્ષા કરે છે પણ જે પ્રકારે કહ્યું એવા આશયવાળો નથી એ પ્રકારનું દુર્મુખ વડે, સંવરણ કરાયું, આથી અમે ત્યાં સુધી નિરૂપયામeતેના કૃત્યને જાણવા માટે પ્રયત્ન કરીએ. તેથી મારા વડે કુમાર વડે, પ્રસિધિચતુર નામનો આતદારક-શિષ્ટ પુરુષનો પુત્ર પ્રયુક્ત કરાયો. કેટલાક દિવસ ગયે છતે આ ચતુર, મારી સમીપે આવ્યો. આવા વડે નિવેદન કરાયું ચતુર વડે નિવેદન કરાયું. શું નિવેદન કરાયું તે “યથા'થી બતાવે છે – હે સ્વામી ! ત્યારપછી અહીંથી હું નીકળ્યો. વિનયપૂર્વક દુર્મુખને આરાધના કરીને તેનો અંગરક્ષક થયો. ત્યારપછી દુર્મુખ વડે સમસ્ત સ્થાનોથી=પોતાના રાજ્યનાં સમસ્ત સ્થાનોમાંથી, પ્રધાન શ્રાવકોને બોલાવીને એકાંતમાં આ કહ્યું, શું કહ્યું. તે “કુર'થી બતાવે છે – અરે, આ કનકશેખરકુમાર અલીક ધર્મના આગ્રહથી ગૃહીત થયેલો રાજ્યનો વિનાશ કરવા લાગ્યો છે. તેથી તમોએ હવે પછી આ જે કંઈ આપે અને જે રાજ્યના ભાગથી સદ્ભૂત તમારો કર છે તે બંનેને પણ પ્રચ્છન્ન મને આપવા જોઈએ અને કુમારને નિવેદન કરવું નહીં. ઈતરથા તમારું જીવિત નથી તમે કુમારને નિવેદન કરશો તો તમને મૃત્યુનો દંડ પ્રાપ્ત થશે. શ્રાવકોએ કહ્યું – મહામાત્ય જે આજ્ઞા કરે