________________
૩૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
दुर्मुखकपटम् एवं च वदति मयि लक्षितो दुर्मुखेण मदीयोऽभिप्रायः । चिन्तितमनेन-अये! अर्हद्दर्शने निर्भरोऽस्यानुरागः, अनिवर्तकश्चित्तप्रसरः, कुपितश्चायं मदीयवचसा, तदलमनेनाधुना गाढतरमुद्वेजितेन, प्रगुणीकृत एवात्रार्थे मया राजा । ततः स्वयमेव स्वाभिमतमनुष्ठास्यामि, साम्प्रतं पुनरेनमनुलोमयामीति संचिन्त्याभिहितमनेन-साधु कुमार! साधु, सुन्दरस्ते सद्धर्मस्थैर्यातिरेकः, मया हि भवतश्चित्तपरीक्षणार्थं सर्वमिदमुपक्रान्तं, ततश्च सुनिश्चितमधुना यदुत-तावकीनं मनः स्थिरतया मेरुशिखरमप्यधरयति, तन्नेदं मदीयवचनं कुमारेणान्यथा सम्भावनीयम् । मयाऽभिहितं-आर्य! किमत्र वक्तव्यम् ? अविषयो भवादृशाम(शोऽन्य)न्यथासम्भावनायाः, ततो निर्गतो मत्समीपाद्दर्मुखः ।
દુર્મુખ મંત્રીનું કપટ અને આ પ્રમાણે હું બોલ્ય છતે દુર્મુખ વડે મારો અભિપ્રાય જણાયો, આના વડે વિચારાયું – અરે ! અહદર્શનમાં આવે કુમારને, અત્યંત અનુરાગ છે. અતિવર્તકચિતના પ્રસરવાળો મારા વચનથી કુપિત એવો આ છે તે કારણથી હવે, ગાઢતર ઉદ્વેજિત આ વચન વડે સર્ષ કુમારને ગાઢતર ઉદ્વેગ કરાવે એવાં મારાં વચનો વડે સર્યું, આ અર્થમાં કુમારની પ્રવૃત્તિના રિવર્તનના વિષયમાં, મારા વડે રાજા પ્રગુણી કરાયો છે તત્પર કરાયો છે. તેથી સ્વયં જ હું સ્વ ઈષ્ટને આચરીશ. હમણાં વળી, હું આને કુમારને, અનુકૂળ કરું. એ પ્રમાણે વિચારીને આના વડે=મંત્રી વડે, કહેવાયું. હે કુમાર ! સુંદર સુંદર તારો સુંદર સદ્ધર્મસ્થર્યનો અતિરેક છે. હિં=જે કારણથી, મારા વડે તારા ચિત્તની પરીક્ષા માટે આ સર્વ ઉપક્રાંત છેઃપૂર્વમાં જે મેં કહ્યું તે સર્વ તારા ચિત્તની પરીક્ષા માટે કહેલ અને તેથી તે કથનથી હમણાં સુનિશ્ચિત થયું, શું સુનિશ્ચિત થયું તે મંત્રી “હુત'થી બતાવે છે – તારું મન સ્થિરપણાથી મેરુશિખરની પણ અવગણના કરે છે તે કારણથી મારું આ વચન કુમાર વડે અન્યથા સંભાવના કરવા યોગ્ય નથી=મને કુમારની આ પ્રવૃત્તિ રુચતી નથી એ પ્રમાણે સંભાવના કરવી નહીં, મારા વડે કહેવાયું છે આર્ય ! આમાં શું કહેવું. અન્યથા સંભાવનાનો તું અવિષય છે. બુદ્ધિમાન એવો તું ક્યારેય ધર્મમાં વિદ્ધ કરે તેવું કહે નહીં એમાં શું કહેવા જેવું છે ? ત્યારપછી મારા સમીપથી દુર્મુખ ગયો.
___ तातकृतदुर्मुखदुष्चेष्टानुमतिपीडितकुमारस्य नगरत्यागः मया चिन्तितं-शठप्रकृतिरेष दुर्मुखः पापात्मा च, तन्न विज्ञायते किमयमाचरिष्यति? यतो महताऽऽकूतेन प्रथममनेन मन्त्रितं पश्चादतित्वरया कृतमाकारसंवरणं, अतो निरूपयामस्तावत् । ततः प्रयुक्तो मया प्रणिधिचतुरो नामाप्तदारकः । गतेषु कतिचिदिनेषु समागतोऽसौ मत्समीपं, निवेदितमनेन यथास्वामिन्! तावदितो निर्गतोऽहं, विनयेनाराध्य दुर्मुखं संपन्नस्तस्याङ्गरक्षकः । ततो दुर्मुखेण रहसि