________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
स्तिमितं जगदानन्दं, यद्वा वाग्गोचरातिगम् ।
कथमीदृग्भवेच्चित्तं, नाथ ! यादृग् मनीषिणः ? ।। ४४ ।। युग्मम्
શ્લોકાર્થ ઃ
કેવા પ્રકારનો પ્રશ્ન કરાયો ? એથી કહે છે, વિશાલ, નિર્મલ, ધીર, ગંભીર, ગુરુદક્ષિણ=અત્યંત માર્ગાનુસારી, દયાપરિત=દયાયુક્ત, નિશ્ચિત, દ્વેષ અને રાગથી વર્જિત, સ્તિમિત=સ્થિર, જગતને આનંદને દેનારું અથવા વાગ્ગોચરથી અતીત આવું ચિત્ત નાથ ! કેવી રીતે થાય જેવું મનીષીનું ચિત્ત છે ? ||૪૩-૪૪||
શ્લોક ઃ
यस्य चेष्टितमालोक्य, शिथिलीभूतबन्धनाः ।
एते सर्वे वयं मुक्ता, भीमात् संसारचारकात् ।।४५ ।।
શ્લોકાર્થ ઃ
જેના=જે મનીષીના, ચેષ્ટિતને જોઈને શિથિલીભૂત બંધનવાળા આ સર્વ અમે ભીમસંસારચક્થી
મુકાયા. ।।૪૫]ા
શ્લોક ઃ
૩૦૯
गुरुरुवाच
या विज्ञाता त्वयाऽप्यस्य, जननी शुभसुन्दरी । यावन्तस्तत्सुतास्तेषां, सर्वेषामीदृशं मनः ।।४६।।
શ્લોકાર્થ :
ગુરુ કહે છે આની શુભસુંદરી માતા જે તારા વડે વિજ્ઞાત છે, જેટલા તેના પુત્રો છે તે સર્વનું આવું મન છે=સંસારવર્તી જે જીવો ઉત્તમ શુભકર્મો દ્વારા જન્મ્યા તે સર્વનું ચિત્ત જેવું રાજાએ વર્ણન કર્યું તેવું છે. [૪૬]
શ્લોક ઃ
ततो गृहीततत्त्वोऽपि राजर्षिरिदमब्रवीत् ।
बोधार्थं मुग्धलोकानां विनयानतमस्तकः ।। ४७ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી વિનયથી નમેલા મસ્તકવાળા ગૃહીતતત્ત્વવાળા પણ રાજર્ષિ=ગુરુના વચનના રહસ્યને જાણેલા પણ શત્રુમર્દનરૂપ સાધુ, મુગ્ધ લોકોના બોધ માટે, આ પ્રમાણે કહે છે. II૪૭]]