________________
૨૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राजादीनां दीक्षापरिणतिः
ततस्तदीयगुणप्रकर्षेण राज्ञोऽपि विलीनं तद्विबन्धकं कर्मजालं संजातश्चरणपरिणामो, निवेदितः सुबुद्धिमध्यमबुद्धिमदनकन्दलीसामन्तादिभ्यो निजोऽभिप्रायः । ततोऽचिन्त्यमाहात्म्यतया महापुरुषसन्निधानस्य, विचित्रतया कर्मक्षयोपशमस्य, रञ्जितचित्ततया निष्कृत्रिममनीषिगुणैः समुल्लसितं तदा सर्वेषां जीववीर्यम् । ततस्तैरभिहितम्
રાજા વગેરેની દીક્ષાની પરિણતિ
તેથી=રાજાએ રાજવૈભવ કરતાં પણ અધિક તેજસ્વી મનીષીના તેજને જોયું તેથી, તેના ગુણના પ્રકર્ષથી=મનીષીના ગુણના પ્રકર્ષથી, રાજાનું પણ તેના વિબન્ધક કર્મજાલ=ચારિત્રના પરિણામનું વિબન્ધક કર્મજાલ, વિલીન થયું. અને ચારિત્રનો પરિણામ થયો=રાજાને ચારિત્રનો પરિણામ થયો. સુબુદ્ધિ, મધ્યમબુદ્ધિ, મદનકંદલી, સામંત આદિઓને પોતાનો અભિપ્રાય નિવેદન કરાયો=મનીષીને જોઈને મનીષી જેવા ઉત્તમચિત્તનો અર્થી એવો હું પણ સંયમગ્રહણ કરવા ઇચ્છું છું એ પ્રકારે રાજા વડે પોતાનો અભિપ્રાય નિવેદન કરાયો. તેથી=રાજાએ પોતાનો અભિપ્રાય નિવેદન કર્યો તેથી, મહાપુરુષના સન્નિધાનનું અચિંત્ય માહાત્મ્યપણું હોવાને કારણે, કર્મના ક્ષયોપશમનું વિચિત્રપણું હોવાને કારણે, નિકૃત્રિમ મનીષીના ગુણોથી રંજિત ચિત્તપણું હોવાને કારણે, બધા જીવોનું=સુબુદ્ધિમંત્રી આદિ બધા જીવોનું, ત્યારે જીવવીર્ય ઉલ્લસિત થયું, તેથી=રાજાના વચનથી સુબુદ્ધિ આદિ સર્વનું સંયમને અભિમુખ જીવવીર્ય ઉલ્લસિત થયું તેથી, તેઓ વડે કહેવાયું.
શ્લોક ઃ
साधु साधूदितं देव ! युक्तमेतद्भवादृशाम् ।
संसारे ह्यत्र निःसारे, नान्यच्चारु विवेकिनाम् ।।१।।
શ્લોકાર્થ :
હે દેવ ! સુંદર સુંદર કહેવાયું. તમારા જેવાને આ=સંયમનો પરિણામ થાય એ, છે. યુક્ત અહીં=નિઃસાર એવા સંસારમાં, વિવેકીઓને અન્ય=ચારિત્રના પરિણામથી અન્ય કોઈ વસ્તુ, સુંદર નથી. IIAII
શ્લોક ઃ
તથાદિ
देव ! यद्यत्र संसारे, किञ्चित् स्याद्रामणीयकम् । श्लाघ्यं सारमुपादेयं, वस्तु सुन्दरमेव वा ।।२।।