________________
૨૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
यदा पुनर्विशेषेण, तिष्ठेत्तेषां जिनागमः ।
स्पर्शनेन्द्रियसम्बन्धं, त्रोटयन्ति तदाऽखिलम् ।।७९।। શ્લોકાર્ય :
જ્યારે વળી, તેઓને જ જિનાગમ વિશેષથી સ્થિર થાય છે=જિનાગમમાં જ્ઞાતતત્વવાળા ગૃહસ્થોને શાસ્ત્રોનો બોધ વિશેષથી આત્મામાં પરિણમન પામે છે. ત્યારે સંપૂર્ણ સ્પર્શનેન્દ્રિયના સંબંધને તોડી નાખે છેઃસ્પર્શનેન્દ્રિયરૂપ કાયાની સાથે ભાવથી કંઈક બહિચ્છાયાથી સંબંધ હતો તેનો ત્યાગ કરે છે. II૭૯IL. શ્લોક :
यतो दीक्षां समादाय, निर्मलीमसमानसाः ।
सन्तोषभावतो धन्या, जायन्तेऽत्यन्तनिःस्पृहाः ।।८।। શ્લોકાર્થ :
જે કારણથી દીક્ષાને ગ્રહણ કરીને નિર્મલ માનસવાળા=ધર્મના ઉપકરણ સિવાય દેહનો પણ ત્યાગ કરે તેવા નિર્મલ માનસવાળા, સંતોષના ભાવથી અત્યંત નિઃસ્પૃહ ધન્ય થાય છે. IIcell શ્લોક :
ततस्ते भवकान्तारनिर्विण्णा वीतकल्मषाः ।
स्पर्शनप्रतिकूलानि, सेवन्ते धीरमानसाः ।।८१।। શ્લોકાર્ચ -
તેથી ભવરૂપી અટવીથી નિર્વેદ પામેલા એવા તેઓ વીતકલ્મષવાળા=સંશ્લેષના પરિણામરૂપ કાદવથી રહિત પરિણતિવાળા, ધીરમાનસવાળા સ્પર્શનના પ્રતિકૂલોને સેવે છે. ll૮૧il. શ્લોક :
भमिशयनलोचादिकायक्लेशविधानतः ।
ततः सुखस्पृहां हित्वा, जायन्ते ते निराकुलाः ।।८२।। શ્લોકાર્થ :
ભૂમિશયન, લોયાદિ કાયલેશના વિધાનથી સુખની સ્પૃહાને છોડીને ત્યારપછી તેઓ નિરાકુલ થાય છે=દેહને ફ્લેશ આપીને અશાતાકૃત દુઃખનો અનુભવ કરતા નથી, પરંતુ સુખની સ્પૃહાને છોડીને ચિત્તને સમભાવથી વાસિત કરે છે. તેથી તેઓ સમભાવના પરિણતિના બળથી નિરાકુલ થાય છે. llcરા.