________________
૧૯૨
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ततस्तदनुरोधेन, मनाक् संशुद्धबुद्धिना ।
देवसाधुनमस्कारः, कृतो मध्यमबुद्धिना ।।१०।।
શ્લોકાર્થ ઃ
તેથી=મનીષીએ બધાને નમસ્કાર કર્યો તેથી, તેના અનુરોધથી=મનીષીના અનુસરણથી, થોડીક સંશુદ્ધબુદ્ધિવાળા એવા મધ્યમબુદ્ધિ વડે, દેવને અને સાધુને નમસ્કાર કરાયા. II૧૦||
શ્લોક ઃ
पापमातृवयस्याभ्यामधिष्ठितशरीरकः ।
बालोऽकल्याणभाङ् नैव, कस्यचित्प्रणतिं गतः ।।११।।
શ્લોકાર્થ ઃ
પાપમાતા અને મિત્રથી અધિષ્ઠિત શરીરવાળો=અકુશલમાલા અને પાપી એવા સ્પર્શનથી અધિષ્ઠિત શરીરવાળો, અકલ્યાણનો ભાજન એવો બાલ કોઈને નમસ્કાર કરતો નથી જ. ||૧૧||
શ્લોક ઃ
किन्तु ग्रामेयकाकारं, बिभ्राणः स्तब्धमानसः । મનીષિમધ્યમાસન્ને, સોપિ ત્વા વ્યવસ્થિતઃ ।।૨।।
શ્લોકાર્થ ઃ
પરંતુ ગ્રામેયક આકારને ધારણ કરતો=ગામડિયા પુરુષના આકારને ધારણ કરતો, સ્તબ્ધમાનસવાળો, મનીષી અને મધ્યમની નજીકમાં જઈને તે=બાલ, પણ રહ્યો. ।।૧૨।।
શ્લોક ઃ
अथ संभाषितास्तेऽपि, धर्मलाभपुरःसरम् ।
गुरुणा कलवाक्येन निषण्णास्तत्र भूतले ।। १३ ।।
શ્લોકાર્થ :
હવે, તેઓ પણ=મનીષી આદિ પણ, ધર્મલાભપૂર્વક ગુરુ વડે મધુરવાક્યથી બોલાવાયા, ત્યાં ભૂતલમાં બેઠા. ||૧૩||