________________
૧પપ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राजीवाञ्छा ततोऽसौ बालः कथं ममेयं स्त्री संपत्स्यत इति चिन्तया विह्वलीभूतहृदयोऽनाख्येयमन्तस्तापातिरेकं वेदयमानो विस्मृतात्मा तस्यामेव शय्यायां मुञ्चन् उष्णोष्णान् दीर्घदीर्घान् निःश्वासान् मूर्छित इव, मूक इव, मत्त इव, हृतसर्वस्व इव, ग्रहगृहीत इव, तप्तशिलायां निक्षिप्तमत्स्यक इव इतश्चेतश्च परिवर्त्तमानो विचेष्टते । ततो द्वारे वर्तमानेन मध्यमबुद्धिना चिन्तितं-अये! किमित्येष बालोऽस्मात् संवासभवनादियताऽपि कालेन न निर्गच्छति? इति, किं वा करोति? इति प्रविश्य तावनिरूपयामि, ततः प्रविष्टो मध्यमबुद्धिर्लक्षिता हस्तस्पर्शन कामशय्या, हृतमस्यापि हृदयं तत्कोमलतया, ततो विमलीभूतदृष्टिना तेन दृष्टः शय्यैकदेशे विचेष्टमानस्तदवस्थो बालः, चिन्तितमनेन-अहो किमनेनेदमकार्यमाचरितम् ? न युक्तं देवशय्यायामधिरोहणं, न खलु रतिरूपविभ्रमापि गुर्वङ्गना सतां गम्या भवति, तथेयं शय्या सुखदापि देवप्रतिमाधिष्ठितेतिकृत्वा केवलं वन्दनीया न पुनरुपभोगमर्हतीति, ततश्चोत्थापितोऽनेन बालो यावन्न किञ्चिज्जल्पति, मध्यमबुद्धिराह-अहो अकार्यमिदं, न युक्तं देवशय्यायामधिरोहणमित्यादि, तथापि न दत्तमुत्तरं बालेन ।
બાલની મદનકંદલી રાણી મેળવવાની ઈચ્છા તેથી=મદનકંદલીના સ્પર્શ પ્રત્યે ગાઢ રાગ થયેલો હતો તેથી, આ બાલ કેવી રીતે મને આ સ્ત્રી પ્રાપ્ત થશે એવા પ્રકારની ચિંતાથી વિક્વલીભૂત હૃદયવાળો ન કહી શકાય તેવા અંતસ્તાપતા અતિરેકને વેદન કરતો વિસ્તૃત સ્વરૂપવાળો તે જ શય્યામાં ઉષ્ણ ઉષ્ણ, દીર્ઘ-દીર્ઘતર વિશ્ર્વાસ મૂકતો મૂચ્છિતની જેમ, મૂકની જેમ, માની જેમ, હણાયેલા સર્વસ્વવાળા પુરુષની જેમ, ગ્રહગૃહીતની જેમ= ભૂતાવિષ્ટની જેમ, તપ્તશિલામાં શિક્ષિપ્ત કરાયેલા મત્સ્યની જેમ, આમતેમ ચારે બાજુએ ફરતો વિચેષ્ટા કરે છે. ત્યારપછી દ્વારમાં વર્તતા મધ્યમબુદ્ધિ વડે વિચારાયું. અરે ! કયા કારણથી આ બાલ સંવાસભવનથી આટલા પણ કાળ વડે બહાર આવતો નથી. અથવા શું કરે છે એ પ્રમાણે પ્રવેશ કરીને હું જોઉં, તેથી મધ્યમબુદ્ધિએ પ્રવેશ કર્યો, હાથના સ્પર્શ વડે કામશધ્યા જોવાઈ, આનું પણ હૃદય તેના કોમલપણાથી હરણ કરાયું તેથી વિમલ થયેલી દષ્ટિવાળા એવા તેના વડે શવ્યાના એક દેશમાં વિચેષ્ટા કરતો તે અવસ્થાવાળો-ચિત્તના સંતાપને કરતી તે અવસ્થાવાળો, બાલ જોવાયો. આના વડે મધ્યમબુદ્ધિ વડે, વિચારાયું, અહો ! ખેદની વાત છે કે આવા વડે બાલ વડે, કેમ આ અકાર્ય આચરિત કરાયું ? દેવની શય્યામાં અધિરોહણ કરવું યુક્ત નથી. વળી, રતિરૂપને ધારણ કરનારી પણ ગુરુની સ્ત્રી સંતોને ગમ્ય નથી=સેવવા યોગ્ય નથી. તે પ્રમાણે સુખ દેનારી પણ આ શવ્યા દેવપ્રતિમાથી અધિષ્ઠિત છે એથી કરીને કેવલ વંદનીય છે, પરંતુ ઉપભોગને યોગ્ય નથી. તેથી આ પ્રમાણે મધ્યમબુદ્ધિએ વિચાર્યું તેથી, આના વડે=મધ્યમબુદ્ધિ વડે, બાલ ઉઠાળાયો. જ્યાં સુધી કંઈ