________________
૧૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હિં=જે કારણથી, સ્વરૂપથી આર્જવ પરમ શુદ્ધાશયને કરનારું છે. આથી આર્જવ શુદ્ધાશયને કરનારું છે આથી, જીવોના વધતા પાપને વારણ જ કરે છે. ll૨૪ll શ્લોક :
एतच्चार्जवमत्रार्थे, सर्वेषां वर्त्तते समम् ।
अज्ञानजनितं पापं, युष्माकममुना जितम् ।।२५।। શ્લોકાર્ય :
અને આ અર્થમાં તમારા સેવાયેલા પાપના અર્થમાં આ આર્જવ સર્વોને સમાન વર્તે છે. તમારું અજ્ઞાનજનિત પાપ આના વડે આર્જવ વડે, જિતાયું. રપો શ્લોક :
रक्षितानि मया यूयमत एव मुहुर्मुहुः ।
सहर्षमेतदाचष्टे, डिम्भरूपं स्मिताननम् ।।२६।। શ્લોકાર્થ :
આથી જ તમે મારા વડે રક્ષણ કરાયેલા છો, સ્મિતમુખવાળું ડિમ્મરૂપ આ બાળક વારંવાર સહર્ષ કહે છે. રકI શ્લોક :
धन्यानामार्जवं येषामेतच्चेतसि वर्त्तते ।
अज्ञानादाचरन्तोऽपि, पापं ते स्वल्पपापकाः ।।२७।। શ્લોકાર્ચ - ધન્ય એવા જેઓના ચિત્તમાં આ આર્જવ વર્તે છે. તેઓ અજ્ઞાનથી પાપને આચરતા પણ સ્વલ્પપાપવાળા છે. ll૨૭ી. શ્લોક :
यदा पुनर्विजानन्ति, ते शुद्धं मार्गमञ्जसा ।
तदा विधूय कर्माणि, चेष्टन्ते मोक्षवम॑नि ।।२८।। શ્લોકાર્ચ -
જ્યારે વળી, તેઓ શુદ્ધમાર્ગને શીઘ જાણે છે, ત્યારે કમનું ધૂનન કરીને મોક્ષમાર્ગમાં ચેષ્ટા કરે છે. ર૮II