SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પત્ર મધ્યમબુદ્ધિને સામાન્યરૂપાદેવીનો સ્પર્શન વિષયક મધ્યસ્થતાનો અતિદેશ અને આ બાજુ તે જ કર્મવિલાસરાજાની સામાન્યરૂપા નામની દેવી છે. તેણીને અભિષ્ટતમ એવો મધ્યમબુદ્ધિ નામનો પુત્ર છે. મનીષી અને બાલને અત્યંત વલ્લભ છે, તે એની સાથે ઘણો કાળ ક્રીડા કરાઈ છે. આ મનીષી અને બાલ સંસારમાં અનંતકાળથી છે તેથી ઘણા ભવોમાં પરસ્પર સાથે જન્મે છે, સાથે ક્રીડા કરી છે તેથી અપેક્ષાએ ઘણો કાળ સાથે ક્રીડા કરી છે. અને તે=મધ્યમબુદ્ધિ, પ્રયોજનના વશથી રાજાના આદેશ વડે જ દેશાંતરમાં ગયેલો હતોઃકર્મપરિણામ રાજાના વશથી જ અત્યભવતા વેદ્ય કર્મના ભોગવવાના પ્રયોજનના વશથી બાલ અને મનીષી જ્યાં છે તેના કરતાં અન્ય કોઈ ભવરૂપ દેશાંતરમાં ગયેલો હતો. હમણાં આવ્યો=બાલ, મનીષી સાથે એક સ્થાનમાં પ્રાપ્ત થાય એ રીતે કર્મના વશથી જન્મ્યો. સ્પર્શન સાથે મનીષી અને બાલ જોવાયા. તે બંને દ્વારા=બાલ અને મનીષી દ્વારા, અને સ્પર્શન દ્વારા આલિંગન કરાયું. પોતાના ભાઈ તરીકે મનીષી અને બાલ સાથે તેણે સ્નેહની અભિવ્યક્તિ કરી અને જેમ મનીષી અને બાલ સાથે સ્પર્શનની મિત્રાચારી હતી તેમ સ્પર્શને પણ તેની સાથે મિત્રતાને અભિવ્યક્ત કરનાર આલિંગન કર્યું. તેથી કોતકવાળા એવા મધ્યમબુદ્ધિ વડે કાનની પાસે મુખને સ્થાપન કરીને બાલ પુછાયો, આ કોણ છે?=આ સ્પર્શન કોણ છે? આને=મધ્યમબુદ્ધિને, બાલ દ્વારા નિવેદન કરાયું. શું નિવેદન કરાયું? તે “યથા'થી બતાવે છે – સ્પર્શત નામનો અચિંત્ય પ્રભાવવાળો આ અમારો સહચર છે=મિત્ર છે. મધ્યમબુદ્ધિ પૂછે છે. કેવી રીતે અચિંત્ય પ્રભાવવાળો છે. તેથી બાળ વડે સર્વ પણ વ્યતિકર કહેવાયો. મધ્યમબુદ્ધિને સ્પર્શનના ઉપર સ્નેહભાવ થયો. બાલ વડે કહેવાયું – હે ભદ્ર ! સ્પર્શત ! આને=મધ્યમબુદ્ધિને, સ્વકીય, માહાભ્ય બતાવ. સ્પર્શત કહે છે. આ બતાવું છું. ત્યારપછી યોગશક્તિ પ્રયુક્ત કરાઈ. અંતર્ધાન કરાયું. મધ્યમબુદ્ધિના શરીરમાં અધિષ્ઠિત થયો–મધ્યમબુદ્ધિના ચિત્તમાં કોમલ સ્પર્શની ઇચ્છા ઉત્પન્ન કરે તેવા પરિણામના કારણ રૂપે અંદર પ્રવેશ પામ્યો. મધ્યમબુદ્ધિ વિસ્મય પામ્યો અર્થાત્ સ્પર્શનના તે પ્રકારના ભાવો જોઈને વિસ્મય થયો. કોમલ સ્પર્શની ઈચ્છા પ્રવૃત્ત થઈ=મતિજ્ઞાનના ઉપયોગ રૂપે કોમલ સ્પર્શની ઈચ્છા થાય તે સ્વરૂપે સ્પર્શેન્દ્રિયો પરિણામ પ્રવૃત થયો. સુંદર શયન, સ્ત્રીઆદિનો ઉપભોગ કર્યો. ચિત્તમાં આલાદ થયો. મધ્યમબુદ્ધિ ખુશ થયો. સ્પર્શત પ્રગટ થયો. પોતાના પ્રયાસનું સાફલ્ય પુછાયું=સ્પર્શત વડે પુછાયું, હું તારા વડે અનુગૃહીત છું, એ પ્રમાણે રસથી=સહસા, મધ્યમબુદ્ધિ વડે નિવેદન કરાયું, તેથી આ પણ=મધ્યમબુદ્ધિ પણ, પાત્રીભૂત છે. દૂરયાયી વર્તતો નથી=દૂર જતારો વર્તતો નથી. એ પ્રમાણે સ્પર્શત વડે વિચારાયું. મનીષી વડે વિચારાયું, પ્રાય આ પણ મધ્યમબુદ્ધિ આ પાપી સ્પર્શન દ્વારા વશ કરાયો છે. આથી, જો ઉપદેશને ગ્રહણ કરે તો આને=મધ્યમબુદ્ધિને, હું શિક્ષા આપે યથાર્થ બોધ કરાવું, આ વરાકનું મધ્યમ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy