SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કરાયું, કરણવૃત્તિઓનો વિરોધ કરાયો, સ્વરૂપશૂન્યની જેવો અર્થનિર્માસ આવિર્ભત થયો, સમાધિ થઈ, અંતર્ધાનનો હેતુ એવો સંયમ કરાયો. અંતર્ધાન કરાયું. મનીષી અને બાલના શરીરમાં અનુપ્રવિષ્ટ થયો=સ્પર્શત અનુપ્રવિષ્ટ થયો. પોતાના અભિમત પ્રદેશમાં અધિષ્ઠિત થયો–દેહવર્તી જે સ્થાનને આશ્રયીને સ્પર્શેન્દ્રિયજન્ય સુખનું વેદન કરાવે તેવા મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે તે સ્થાનમાં સ્પર્શને પ્રવેશ કર્યો, મનીષી, બાલ વિસ્મિત થયા, બંનેને પણ કોમલ સ્પર્શનની ઈચ્છા થઈ–બાલ અને મનીષી બંનેને પણ હું કોમળ સ્પર્શ કરી સુખ મેળવું એ પ્રકારના અભિલાષરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્યો ત્યારપછી મૃદુશયલોને, સુખાકારી આસનોને, કોમલ વસ્ત્રોને, હાડકાં, માંસ, ત્વચા, રોમને સુખ દેનારાં એવાં વિલેપતોને, સુંદર સ્ત્રીઓના અનવરત ભોગોને, ઋતુના અવિર્યસ્ત વીર્યવાળા જીવોને સુખકારી સ્પર્શ કરનારાં વિલેપનોને અને અન્ય ઉદ્વર્તન, સ્માત આદિને, સ્પર્શપ્રિય વિષયોને વૃદ્ધ મૂચ્છિત એવો બાલ સતત સેવે છે, અને ભસ્મક વ્યાધિવાળો પુરુષ ભક્તપાતને ખાય તેમ સ્પર્શત સમસ્ત શયતાદિક ભોગવે છે. વળી, ગાર્ગ અને વ્યાધિથી વિહ્વલીભૂત થયેલા ચિત્તવાળા બાલને સંતોષ સ્વરૂપ સ્વાથ્યનું વિકલપણું હોવાથી ખણજમાં ખણવાની ક્રિયાની જેમ પરમાર્થથી તે=ભોગની પ્રવૃત્તિ, દુઃખનું કારણ જ છે. તોપણ આ બાલ, વિપર્યાસના વશથી તેનો ઉપભોગ થયે છતે વિચારે છે. અહો ! મને સુખ થાય છે. અહો ! મને પરમ આનંદ થાય છે. તેથી મિથ્યાભાવનાને કારણે પરમ સુખના સંદર્ભથી નિર્ભર ખરેખર હું છું શ્રેષ્ઠ કોટિના સુખના સમૂહથી નિર્ભર હું છું. એ પ્રમાણે વૃથા નિમીલિત અક્ષવાળો તત્ત્વને જોવા માટે બંધ થયેલી અંતર્થક્ષવાળો બાલ અનાખ્ય રસાતરનું અવગાહન કરે છે–સ્વકલ્પનાથી વચનથી ન કહી શકાય એવા આનંદનું અવગાહન કરે છે. વળી, મનીષી મૃદુ સ્પર્શની ઇચ્છા પ્રવર્તમાન થયે છતે આ પ્રમાણે ભાવન કરે છે=આ પ્રમાણે વિચાર કરે છે. અરે ! સ્પર્શવજનિત મારો આ વિકાર છે. સ્વાભાવિક નથી. મારો આ પરમશત્રુ વર્તે છે. એ મારા વડે સુનિર્ણત છે. તેથી કેવી રીતે આ=સ્પર્શત, સુખનો હેતુ થશે ? સુખનો હેતુ થઈ શકે નહીં, એ પ્રમાણે માનીને તેને અનુકૂળ દેહમાં સ્પર્શતના પ્રવેશને કારણે જે કોમળ ઈચ્છા થયેલી તેને અનુકૂળ, કંઈ આચરતો નથી. હવે, કોઈક રીતે આ=સ્પર્શન, મિત્રપણાથી સ્વીકારાયેલ ત્યાં સુધી અનુવર્તનીય છે એ પ્રકારની ભાવનાથી કાલથાપના કરતોતેના ત્યાગને માટે કાલના વિલંબને કરતો, તેને અનુકૂળ પણ=સ્પર્શતને અનુકૂળ પણ, કંઈક આચરે છે તો પણ તેને=મનીષીને, લૌલ્યરોગનું વિકલપણું હોવાથી સંતોષઅમૃતથી સ્વસ્થીભૂત માનસવાળા મનીષીને રોગ રહિત શરીરવાળાને સુપથ્ય અની જેમ ભોગવાતા તે શયતાદિક સુખને જ ઉત્પાદન કરે છે. તોપણ=સ્પર્શતની ઈચ્છા થઈ અને લૌલ્ય વગર કંઈક તેને અનુકૂળ મનીષીએ આચરણ કર્યું તોપણ, આ=મનીષી, ત્યાં=કોમળ સ્પર્શની ઈચ્છા થઈ ત્યાં, અભિવંગને ધારણ કરતો નથી રાગને કરતો નથી, તેથી આગામી પણ દુ:ખનો અનુબંધ નથી=પુનઃ પુનઃ ભોગની વૃદ્ધિજન્ય દુઃખનો અનુબંધ નથી. ભાવાર્થ :પ્રભાવે સ્પર્શનની મૂલશુદ્ધિ પ્રાપ્ત કરીને બોધને સમસ્ત વૃત્તાંત કહ્યો. અને બોધ અને પ્રભાવે ભેગા થઈને
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy