________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ :
તે=અર્થની કથા, ક્લિષ્ટ ચિત્તનું કારણપણું હોવાથી પાપ સંબંધને કરનારી છે, તેથી દુર્ગતિના માર્ગને પ્રાપ્ત કરાવવામાં કુશળ મનાઈ છે. ll૧૭ના શ્લોક :
कामोपादानगर्भार्था, वयोदाक्षिण्यसूचिका ।
अनुरागेगिताद्युत्था, कथा कामस्य वर्णिता ।।२८।। શ્લોકાર્થ :
કામનું ગ્રહણ જેનો ગર્ભિત અર્થ છે એવી, વયને અને દાક્ષિણ્યને સૂચવનારી, અનુરાગના હાવ-ભાવાદિથી ઊઠેલી કામની કથા કહેવાઈ છે. ll૨૮II શ્લોક :
सा मलीमसकामेषु, रागोत्कर्षविधायिका ।
विपर्यासकरी तेन, हेतुभूतैव दुर्गतेः ।।२९।। શ્લોકાર્ચ -
તે કામકથા, મલિન એવાં કામોમાં રાગના ઉત્કર્ષને કરનારી છે, વિપર્યાસને કરનારી છે. તેથી દુર્ગતિના હેતુભૂત જ છે. ll૨૯ll શ્લોક :
दयादानक्षमाद्येषु, धर्माङ्गेषु प्रतिष्ठिता ।
धर्मोपादेयतागर्भा, बुधैर्धर्मकथोच्यते ।।३०।। શ્લોકાર્ચ -
દયા, દાન, ક્ષમા આદિ ધર્મનાં અંગોમાં પ્રતિષ્ઠા પામેલી, ધર્મની ઉપાદેયતા આદરવાલાયકપણું છે ગર્ભમાં એવી ધર્મકથા બુધજનો વડે કહેવાઈ છે. Il3oll
શ્લોક :
साऽक्लिष्टचित्तहेतुत्वात्पुण्यकर्मविनिर्जरे । विधत्ते तेन विज्ञेया, कारणं नाकमोक्षयोः ।।३१।।