SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અવતિનું આધિપત્ય ૨૦૭ માટે શિલાલેખ કે સાહિત્યમાં “વિક્રમાદ્ધિત્ય એ શબ્દ વપરાયલે વાંચવા મળસે નથી. ફિક્ત, બૃહત્કથામાં સંસ્કૃત રૂપાન્તર કથામંજરી આદિમાં વિષમશીલ-હાલને વિક્રમાદિત્ય લખ્યો છે, તેને પ્રામાણિક માનીએ તે કહી શકાય કે હાલ એ વિક્રમાદિત્ય હતે. આવી રીતે હાલ રાજા શકારિ અને વિક્રમાદિત્ય હોય, પરંતુ તે કઈ રીતે ઉજજયિનીપતિ નથી. કારણ કે, ઉજજશ્ચિમીના વિક્રમાદિત્યની વૃદ્ધાવસ્થામાં તેની સામે લડનાર તે પ્રતિષ્ઠાનપતિ હતું. તેણે કઈ સંવત પ્રવર્તાવ્યું હોય એમ પણ જણાયું નથી, અને તેથી મારી ગણના પ્રમાણે વિ. સં. ૩૫ વર્ષે બેન્નાટકની ગાદી પર આવેલો આ હાલ રાજા ચાલુ વિક્રમસંવતને પ્રવર્તક-વિક્રમાદિત્ય નથી. હાલ રાજાની પછીના આન્ધરાજાઓમાં વિદેશી જાતિઓને, ખાસ કરીને, ચણન કે જયદામા નામના શક રાજાને પરાસ્ત કરી વિજય મેળવનાર જે કઈ હોય તે તે એક (નં૦૧૬) ગૌતમીપુત્ર શ્રી સાતકર્ણિ છે, બૃહત્કથાનાં સંસ્કૃત રૂપાન્તરમાં વિક્રમસિંહ કે વિક્રમસેનને પુત્ર તથા વિક્રમાદિત્યના કાર્યનું અનુકરણ કરનાર, જે ત્રિવિક્રમસેન નામને રાજા કહ્યો છે તે, સંભવ છે કે, ગૌતમી બાલશ્રીને પુત્ર આ યજ્ઞશ્રી હેય. તેનું રાજનગર પ્રતિષ્ઠાન હતું, પરંતુ અવનિત-ઉજજયિની તેના તાબામાં હોઈ તે ઉજયિનીપતિ પણ હતું. આમ આ રાજ શકારિ અને ઉજયિનીને પતિ તથા કદાચ, વિક્રમાદિત્યની ઉપાધિને ધાસ્ક પણ હતું, પરંતુ તેને સમય ચાલુ વિક્રમસંવતથી આશરે ૧૬૩ વર્ષ જેટલો પાછળ હેઈ,૫૭ તે ચાલ વિક્રમસંવતને પ્રવર્તક આ આલેખાતે વિક્રમાદિત્ય નથી. ઉપર જણાવ્યા પ્રમાણે, જેમ આશ્વવંશને કેઈ રાજા ચાલુ વિક્રમસંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય નથી તેમ હાલ-ચાલવાહનને બૃત્ય, આબ્રભુને પ્રથમ પુરુષ, વિદિશા (૨૫૭) જેના પર અશકનાં ચૌદ મુખ્ય શાસને કોતરાવ્યાં હતાં તે જ ગિરનાર અને જૂનાગઢની વચ્ચે પડેલી શિલા પર શક દ્રદામાને લેખ છે, એમાં લખાયું છે કે, મૌર્ય ચન્દ્રગુપ્ત સુદર્શન તળાવ બંધાવ્યું હત અને અશકે તેને નહેર વગેરેથી શે ભાવ્યું હતું. તેને એકવાર ફરીથી પુનરુદ્ધાર કરવાનો પ્રસંગ આવ્યો હતો. કેમકે, દ્રદામાના ૭૨મા વર્ષે એ તળાવનો બંધ તૂટી ગયો હત–એ બંધમાં એક મોટું ગાબડું પડી તેમાંનું પાણી સર્વથા વહી ગયું હતું. સ્કંદામાએ આનર્ત અને સૌરાષ્ટ્ર પર નીમેલા પિતાના સુબા માર. ફતે આ તળાવને બહુ જ વિસ્તૃત કરી સુંદર રીતે સમરાવ્યું, આ લેખમાં બંધ તૂટયાને જે કારનો વર્ષે વિદત્તતિત [s 3 હ૦ [ +] ૨ મા શીર્ષ-૧દુત ફિ.” આવી રીતે કરને અંક લખી સમય દર્શાવ્યો છે તે અંક ઇ. સ. ૭૮માં શરૂ થયેલા શકસંવતનો માની સંશોધકો એ સમયને ઇ. સ. ૧૫૦ (વિ. સં. ૨૦૭)માં મુકે છે, અને વળી તેઓ કહે છે કે, એ સમય લેખ કાતરાવ્યા છે. દામાના એ લેખમાં લખાયેલી બહાળી પ્રવૃત્તિઓને વિચાર કરતાં અને તેના રાજયના પરમા વર્ષમાં લખાયેલા અંધાઉ (કચ્છ)ને લેખને જોતાં, લાગે છે કે, દ્રદામાને રાજ્યારંભ એ લેખ લખાયા પૂર્વે આશરે ૨૫ વર્ષે થયો હશે અને તેના રાજ્યારંભથી પૂર્વે આશરે ૧૫ વર્ષે આધ્રરાજા યશ્રીએ તેના પિતામહ ચષ્ટનને કે પિતા જયદામાને હરાવ્યું હશે. હવે જે યજ્ઞશ્રીએ રાજ્ય પર આવ્યા પછી ચારેક વર્ષે એ વિજય મેળવ્યો હોય તો તેના રાજમારંભને સ્ત્રમય ઈ. સ. ૧૯૬-વિ. સં. ૧૬૩ જ આવે, કે જેને મારી નધિની સાથે પણ મેળ મળી જાય છે. 19) ૧KKI
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy