SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. સંધી કરવાની અને ઘણું જ પ્રદેશ પોતાને સોંપી દેવાની ફરજ પાડી હતી. ગ્રીક અને રામન ઇતિહાસકાર એ જ વાતને વધારે વિગતવારથી લખી ગયા છે. તેઓ લખે છે કે, “એલેક્ઝાંડરના સરદાર અને એલેગઝાંડરના મૃત્યુ બાદ કાલાંતરે તેના સામ્રાજ્યના ભાગલા પડતાં પશ્ચિમ એશિયાની સત્તા ભોગવતા સીરિયાના રાજા સેલ્યુકસ નિકટરે પોતાના પૂર્વ વિજેતા એન્ઝાંડર શહેનશાહનું અનુકરણ કરી એકવાર ફરીથી ભારતના વાયવ્ય પ્રદેશ પર આક્રમણ કર્યું, પણ તેનો ચંદ્રગુપ્ત મજબૂત સામને કર્યો. ” મી. સ્મીથ લખે છે કે –“અને લશ્કરને યુદ્ધમાં ભેટ થતાં ચંદ્રગુપ્તનું લશ્કર ચડી આવનાર લશ્કર માટે બહુ ભાર જણાયું અને સેલ્યુકસને પાછા હઠવાની તથા નામેશીભરી સંધી કરવાની ફરજ પડી. હદમાં જીત મેળવવાની આશા એને છોડવી પડી, એટલું જ નહિ, પરંતુ સિંધુની પશ્ચિમે આવેલા પિતાના એરિઆના પ્રાંતને મોટા ભાગ તેને ચંદ્રગુપ્તને આપી દે પહો. સરખામણીમાં નજીવી જેવી ૫૦૦ હાથીની બક્ષિસના બાલા તરીકે ચંદ્રગુપ્તને પરોપનિસાઈ, એરિયા તથા એરેઝિયા પ્રાંત મળ્યા. હાલમાં કાબુલ, હેરાત તથા કંદહાર નામથી ઓળખાતાં શહેરે અનુક્રમે તે પ્રાંતેનાં પાટનગર હતાં. આપેલા મુલકમાં આખા ગેડોઝિયા પ્રાંતને અથવા તે કમમાં કમ તેના પૂર્વ ભાગને સમાવેશ થતો હતો અને આ સંધિ કરનાર સત્તાધીશ પક્ષેએ લગ્નસંબંધથી એ સંધિને બહાલી આપી. આ બધાને અર્થ એટલો જ છે કે સેલ્યુકસે પિતાના હિંદી પ્રતિસ્પધી વેર પિતાની પુત્રી પરણાવી. આ સંધિને ઈ. સ. પૂર્વે ૩૦૩ ની સાલમાં મુકી શકાય.”૧૨૩ મી. મીથના કથન પ્રમાણે ઈ. સ. પૂ. ૩૦૩ એ મ. નિર્વાણનું ૧૬૪ મું વર્ષ અને ચંદ્રગુપ્તના રાજયનું ૯ મું વર્ષ છે. વિદેશી ઇતિહાસકારોના લખવા પ્રમાણે અત્યારે એલેક્ઝાંડરના ભારત પરના આક્રમણને આશરે ૨૪ અને તેના મૃત્યુને ૨૦ વર્ષ વીત્યાં હતાં. એમ લાગે છે કે, પૂર્વે દુભિક્ષના અંગે કરાયેલાં રાહત કાર્યોથી અને હમણાં જ મેળવેલા યવને પરના મહાન વિજયથી આ સમયે જ મૌર્ય સામ્રાજ્યની શરૂઆતના વર્ષથી ગણાતે મૌર્ય સંવત ગતિમાં મુકાયે હશે, કે જે સંવતના અરિતત્વને ઉલ્લેખ ખારવેલ પિતાના હાથી ગુફાવાળા શિલાલેખમાં મરિયકાલ' તરીકે કરે છે. આચાર્ય હિમવંત પિતાની થેશવલીમાં “ચંદ્રગુપ્ત પિતાને મરિય સંવચ્છર ચલાવ્યો હતો.” એમ એકવાર સ્પષ્ટ લખે છે, ૨૪ પરંતુ આગળ જતાં “અશોકે કલિંગને જીતી ત્યાં પિતાને “ગુર” સંવરછર પ્રવત ” એમ લખે છે.૨૫ એ (૨૩) જીવ હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ' (પૂર્વાર્ધ) (ગુ. વ સ ) ૫. ૧૬૪, ૧૫ (૧૨૪) “તેvi ળિયોરિયસંવરજીને નિષમ ટા ” હિમ થેરા, પૃ. ૪ ( મુદ્રિત ) (૧૨૫) “તાર થી રોકવાદિય-અસત્તાનિવારેવિદતુ મદિવો असोपणिवो कलिंगं जणवयमाकम्म खेमरायं णिवं णियाणं मन्नावेह, तत्थ णं से णियगुછ gવાવે” હિમ થેરા (મુકિત) ૫ ૬
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy