________________
८०८
श्री मल्लिनाथ चरित्र दयालुत्वमनौद्धत्यं, दाक्षिण्यं प्रियभाषिता । परोपकारकारित्वं, मण्डनानि महात्मनाम् ॥८१॥ अहो ! अयमपुण्यैकोऽहो ! दौर्गत्यदूषितः । अहो ! विनयवानेष, ध्यायति स्मेति सिद्धराट् ॥८२॥ एतस्य मन्दभाग्यस्य, यत् क्रियेतोपकारकम् । तत् तत्स्याद् बहुपुण्यार्थं, व्याधितस्यौषधं यथा ॥८३॥ यतःसंपदं प्राप्य कर्तव्या, सर्वसत्त्वोपकारिता । काकोऽपि पूरयत्युच्चैर्जठरं परितो भ्रमन् ॥८४।। विमृश्येत्यब्रवीदेवं, प्रहृष्टः सिद्धपुरुषः । ददामि भद्र ! ते विद्यां, कामितश्रीमहोदधिम् ॥८५॥
વળી દયાળુપણુ, ઉદ્ધતાઇ રહિતપણુ, દાક્ષિણ્યતા, પ્રિયભાષિપણું અને પરોપકારએ મહાત્માઓના સહજ ભૂષણો છે.” (૮૧)
આ પ્રમાણે સાંભળી તે સિદ્ધપુરુષ ચિતવવા લાગ્યો કે, અહા! આ અપુણ્યનું સ્થાન, દારિદ્રાવસ્થાથી દૂષિત થયેલું છે છતાં વિનયવાન છે (૮૨)
માટે એ મંદભાગ્યવાળા ઉપર ઉપકાર કરવામાં આવે તો વ્યાધિગ્રસ્ત પ્રાણીને ઔષધિની જેમ તે વધારે પુણ્યકારક થાય તેમ છે. (૮૩)
સંપત્તિ પામી સર્વજીવો પર ઉપકાર કરવો તે જ યોગ્ય છે. બાકી ચારેબાજુ પરિભ્રમણ કરીને શું કાગડો પણ પોતાનું ઉદર ભરતો નથી ? (૮૪)
આ પ્રમાણે વિચાર કરી હર્ષ પામી તે સિદ્ધપુરુષ બોલ્યો કે,