________________
પB: સા: तच्छ्रुत्वा कुब्जको दध्यौ, भैमी नैच्छत् परं पतिम् । यदीच्छेत् तहि गृह्णीयात्, कस्तां मय्यपि जीवति ? ॥४९१।। तद् द्रक्ष्यामीति सप्रीतिर्विलक्षं स्वापराधतः । पुनः स्वयंवराक्रोधि, तदाभूद् नलमानसम् ॥४९२।। कुण्डिने दधिपर्णं च, षड्भिर्यामैनयाम्यहम् । यथा प्रासङ्गिकं यानमनेन सह संभवेत् ॥४९३॥ ध्यात्वेत्युवाच राजानं, ब्रूहि खेदस्य कारणम् । स्थगितानां मौक्तिकानां, नाघः संजायते यतः ॥४९४।।
અને ધારણા મુજબ કહેવડાવ્યું. એટલે આવતી કાલે જ દમયંતીનો ફરી સ્વયંવર થશે. એમ જાણી દધિપર્ણ રાજાની સ્થિતિ જાળમાં ભરાયેલા મત્સ્યની જેમ થઈ. (૪૯૦)
નિરાશ બની ગયો તે સમયે સમગ્ર હકીકત સાંભળી કુન્જ વિચારવા લાગ્યો કે – “દમયંતી બીજા પતિને કદી ઇચ્છે નહિ અને કદાચ ઇચ્છે તો હું જીવતાં તેને બીજા કોણ લઈ શકે ? માટે મારે કોઈ પણ રીતે ત્યાં જવું.” (૪૯૧)
આ હકીકતથી એક બાજુ તેને પ્રેમ ઉત્પન્ન થયો તો બીજી બાજુ પોતાના અપરાધથી તે વિલક્ષ થઈ ગયો અને પુનઃસ્વયંવર સાંભળીને તેનું મન ક્રોધાયમાન પણ થયું. (૪૯૨).
એટલે તેણે વિચાર કર્યો કે – દધિપર્ણ રાજાને હું છ પહોરમાં કુંડિનપુર પહોંચાડી દઉં કે જેથી એની સાથે મારે પણ ત્યાં જવાનું થાય. (૪૯૩)
આમ ચિંતવીને તેણે રાજાને કહ્યું કે, “હે રાજન્ ! આપના ખેદનું કારણ કહો. કેમ કે આચ્છાદિત મૌક્તિકની કિંમત ન થઈ