________________
५१०
श्री मल्लिनाथ चरित्र वत्से ! नलस्त्वया मुक्तस्त्वं, मुक्ताऽसि नलेन वा ? | तेन त्यक्ताऽसि तं तु त्वं, महासति ! न मुञ्चसि ॥३७८।। त्वं चेत् त्यजसि दुर्दैवादवस्थापतितं पतिम् । ततः सुधारुचेबिम्बात्कृशानुकणवर्षणम् ।।३७९।। किमेष नैषधेर्धर्मस्तत्कुले वा कुलीनता ? । महासती प्रिया मार्गे, त्यज्यतेऽलज्जचेतसा ॥३८०॥ तव दुःखानि गृह्णामि, कुर्यां भ्रामणकं तव । मम मन्तुं क्षमस्वैनं, यन्मया नोपलक्षिता ॥३८१।।
થતાં પણ માતૃમંદિરમાં લજ્જા કેવો! (૩૭૭)
પૂછે રાજા તેહને, રાજયભ્રંશાદિક વાત. દમયંતી સઘળો કહે, ધૂરથી નળ અવદાત. પરંતુ હે વત્સ ! તે નળને તજ્યા કે તેણે તારો ત્યાગ કયો? પણ વિચારણા કરતાં જણાય છે કે તેણે જ તને તજી હશે. મહાસતી ! તું તેને કદી તજે નહીં. (૩૭૮)
દુર્દેવયોગે દુર્દશામાં પડેલા પતિને જો તું તજી દે તો ચંદ્રમાંથી અંગારાની વૃષ્ટિ થવા જેવું થાય. (૩૭૯)
શું નળનો આવો ધર્મ ! તેના કુળમાં આવી કુલીનતા! જેથી નિર્લજ્જ મનવડે મહાસતી પ્રિયાને તેણે માર્ગમાં તજી દીધી. (૩૮૦).
હે પુત્રી ! તારા દુઃખોને હું લઈ લઉં. તારા હું ભામણા લઉં પણ હું તને ઓળખી ન શકી. એ મારા અપરાધને તું ક્ષમા કરજે. (૩૮૧)
વળી તે બાળે ! કૃષ્ણપક્ષની રાત્રિઓમાં અંધકારરૂપ રાહુનો