________________
પંચમ: સર્ગઃ
अथ क्रुद्धोऽनुजो मल्लेस्तस्य चित्रकृतो भृशम् । निकृत्य दक्षिणं पाणिं, स्वदेशाद् निरवासयत् ॥११०॥ विष्वग् भ्राम्यन् महीपीठं, गतवान् हस्तिनापुरे । अदीनशत्रुभूपाय नमश्चक्रे कृताञ्जलिः ॥ १११ ॥ स्ववृत्तान्तं यथाभूतं, मूलादारभ्य भूभुजः । श्रीमल्लिस्वामिनीरूपमेवं वर्णितवानथ ॥ ११२ ॥
नदीनां स्वर्धुनी यद्वत्सुमनस्स्वपि मालती । यद्वत् कामगवी गोषु तद्वद् रूपवतीषु सा ॥ ११३॥
न दृष्टा येन सा मल्लिर्मनःकेकिघनाघनः । तस्य नेत्रद्वयं डित्थडवित्थयुगमञ्चति ॥११४॥
३८१
ઉપજાવે તેવું તેનું ચિત્ર બનાવ્યું છે. (૧૦૯)
એટલે મલ્લિકુમારીના લઘુબંધુએ અત્યંત કોપાયમાન થઈ તે ચિત્રકારનો જમણો અંગુઠો કાપી નંખાવી તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. (૧૧૦)
પૃથ્વીપીઠપર સર્વત્ર ભમતો ભમતો તે ચિત્રકાર હસ્તિનાપુર ગયો અંજિલ જોડી અદીનશત્રુરાજાને તેણે પ્રણામ કર્યા. (૧૧૧)
પછી મૂળથી માંડીને યથાભૂત પોતાનો સર્વ વૃત્તાંત રાજાને નિવેદન કરતાં શ્રી મલ્લિકુમારીના રૂપનું તેણે આ પ્રમાણે વર્ણન કર્યું. (૧૧૨)
“નદીઓમાં જેમ ગંગા, પુષ્પોમાં જેમ માલતી અને ગાયોમાં જેમ કામધેનુ- તેમ રૂપવતી રમણીઓમાં મલ્લિકુમારી સર્વોત્કૃષ્ટ છે. (૧૧૩)
મનરૂપી મયૂરને મેઘસમાન તે મલ્લિકુમારીને જેણે જોઈ નથી