________________
८४
श्री मल्लिनाथ चरित्र
किमस्या मूल्यमित्युक्ते, ब्राह्मणेन मुहुर्मुहुः ? | मन्दगीरवदद् भूमानुचितं यद्ददस्व तत् ॥ ३९०॥ अस्या मूल्ये सहस्राणि, तुभ्यं पञ्च ददामि भोः ! । गदतीति द्विजे मौनी, समजायत भूपतिः ॥ ३९९॥
अनिषिद्धं मतं कार्यमिति ध्यात्वा नृपाञ्चले । तावद्बबन्ध गाङ्गेयमहो ! विधिविडम्बना ॥ ३९२ ॥ तां गामिवाग्रतः कृत्वा, ब्राह्मणश्चलितः पथि । लग्नः सुतोऽञ्चलेऽमुष्यास्तारतारस्वरं रुदन् ॥३९३|| रुदन्तं तं सुतारोचे, तिष्ठ त्वं पितुरन्तिके । आनेतुं मोदकान् हट्टे, गच्छन्त्यस्मि गुणानघ ? ॥ ३९४॥
પછી બ્રાહ્મણે રાજાને વારંવાર પૂછ્યું કે :- “આ સ્ત્રીનું મૂલ્ય શું ?” એટલે રાજા મંદવચનથી બોલ્યો કે તમને ઉચિત લાગે તે આપો. (૩૯૦)
પછી બ્રાહ્મણ બોલ્યો કે :- “હે ભદ્ર ! “આનું મૂલ્ય હું તને પાંચ હજાર સુવર્ણ આપુ” તે સાંભળી રાજા મૌન રહ્યો. (૩૯૧)
એટલે “અનિષિદ્ધકાર્ય સંમત થયું” એમ વિચારીને તેણે (તે બ્રાહ્મણે) રાજાના છેડામાં તેટલું સુવર્ણ બાંધી દીધું. અહો ! દૈવ કેવી વિડંબના પમાડે છે ? (૩૯૨)
પછી ગાયની જેમ સુતારાને આગળ કરીને બ્રાહ્મણ રસ્તે પડ્યો. એટલે બહુ જ ઉચ્ચસ્વરે રૂદન કરતો રોહિતાશ્વ સુતારાને છેડે વળગ્યો. (માની કેડે લાગ્યો) (૩૯૩)
તે જોઈને સુતારાએ તેને કહ્યું કે :- “હે વત્સ ! તું તારા પિતાની પાસે બેસ. હે ગુણવાન્ ! હું બજારમાં તારા માટે મોદક