SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મલાભ એ શબ્દ બેલા ત્યારથી શરૂ થયે નિર્ચથગચ્છનું ત્રીજું નામ “ચંદ્રગચ્છ કહેવાયું. શ્રી ચંદ્રસ્વામીના સમયમાં વીર નિર્વાણ પછી ૬૦૯ વરસે દિગંબર જૈન સંપ્રદાયને વિશેષે કરીને ઉદય થયે એવું શ્વેતાંબર જૈનાચાર્યનું કથન છે. આચાર્ય ચંદ્રસ્વામીની પાટે આચાર્ય સમન્તભસ્વામી થયા. આ આચાર્યજીને વેતાંબર જૈન અને દિગંબર જૈને એમ બંને સંપ્રદાયવાળાઓ માને છે. એમણે વનનિવાસ કરેલ તેથી ત્યારથી નિર્ચથગચ્છને “વનવાસીગચ્છ” એવું ચોથું નામ અપાયું. શ્રી સામંતભદ્રસ્વામી પછી વૃધ્ધદેવસ્વામી, પ્રદ્યતનસ્વામી, માનદેવસ્વામી, માનતુંગસ્વામી, વીરસ્વામી, જયદેવસ્વામી, દેવાનંદસ્વામી, વિકમ સ્વામી, નૃસિંહસ્વામી, સમુદ્રસ્વામી, વિબુધપ્રભસ્વામી, માનદેવસ્વામી, જયાનંદસ્વામી, રવિપ્રભ સ્વામી, યશેદેવસ્વામી, મધુમ્મસ્વામી, માનદેવસ્વામી, વિમલચંદસ્વામી અનુક્રમે થયા. આ પુરૂષ મહાવીર સ્વામીથી ચેત્રીશમાં પુરૂષ હતા એમ તપગચ્છ માને છે અને પાંત્રી. શમા હતા એમ ખરતરગચ્છ કહે છે. પાંત્રીશમી પાટે ઉદ્યોતન સ્વામી તપગચ્છાનુસારે થયા. શ્રી ઉદ્યતન સ્વામી એક વખતે એક વડના વૃક્ષ હેઠળ બેઠા હતા, ત્યાં જ એમણે સર્વદેવ સ્વામી વગેરે આઠ શિષ્યને ભાગવતી દિક્ષા આપી ત્યારથી શ્રી સર્વદેવસૂરિને પરિવાર “વડગચ્છના નામથી કહેવાયે. આ સમયે જૈન શ્વેતાંબર આમ્નાયમાં રાશી ગચ્છા થઈ ચૂકયા હતા, આમાં “વડગચ્છ આગેવાન હતે. વડગચ્છ વીર નિર્વાણ પછી ૧૪૬૪ વરસે વિક્રમ સંવત
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy