SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કાગચ્છ અને તેમાંથી નીકળેલી શ્રી ધર્મસિંહ મુનિની દરિયા પરી સ્વતંત્ર સંપ્રદાય, શ્રી ધર્મદાસજી મુનિની બાવીશ ટેળ વાળી સ્વતંત્ર સંપ્રદાય અને શ્રી લવજી સ્વામીના સંઘાડા છે આ ત્રણે સંપ્રદાય ખરું જોતાં લંકા ગચ્છની સ્વતંત્ર પેટા સંપ્રદાય જ છે. જેને તાંબરેને ત્રીજે સંપ્રદાય તે જૈન શ્વેતાંબર તેરાપંથ છે, કે જે સંપ્રદાયે સમગ્ર જૈન આલમનું ભારે ધ્યાન ખેંચેલું છે. આ ઉપરાંત જૈન શ્વેતાંબર અને જૈન દિગંબર સંપ્રદાયેના મિશ્રણરૂપ અને જૈન દર્શનને પરોક્ષ રીતે વેદાંત નજીક લઈ જનારે શ્રીમદ્ રાજચંદ્રજીને ગચ્છ ઉદય પામે છે, શ્રીમદ્ રાજચંદ્રજી એક જ્ઞાની પુરૂષ હતા ભગવાન સુધર્મા સ્વામીને પરિવાર “નિર્મથ’ શબ્દથી વિશેષ કરીને પ્રખ્યાત હતું. જે સમય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને ઉપદેશ ભારત વર્ષમાં શરૂ હતું એ જ સમયે છતાં થોડાં વરસે અગાઉથી ભગવાન બુધ્ધદેવને ઉપદેશ પણે શરૂ હતા. બૌધ્ધ ગ્રંથમાંથી વાંચવામાં આવે છે કે જે સમયે બુધ્ધ ભગવાનને ઉપદેશ ચાલતું હતું તે સમયે તેમની સામે બીજા છ ઉપદેશક પણ સવર્ણ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આમાં પૂરણ-કાશ્યપ, મશ્કરી ગશાલક, સંજયી વિટ્ટી પુત્ર, અજિત-કેશકુંબલ, કુદકાત્યાયન અને નિર્ગથ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ કે ધનગ્રંથનાથ પુત્ર. મગધ અને બિહારમાં શુંગવંશના રાજાઓ થયા ત્યારથી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની પરંપરા
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy