SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ : ચૂર્ણિએ સમજાતી નથી. આમ જે અહીં “ચૂણિ” શબ્દને બહુવચનમાં પ્રયોગ છે તે ઉપરથી મલયગિરિસૂરિના ખ્યાલમાં ઓછામાં ઓછી ત્રણ ચૂણિઓ હેવી જોઈએ એમ હું અનુમાન કરું છું. આથી નીચે મુજબના પાંચ પ્રશ્નો ઉદ્દભવે છે – (૧) મલયગિરિસૂરિએ ઉપર્યુક્ત વિકૃતિમાં ચૂર્ણિમાંથી અવતરણે આપ્યાં છે તે કોઈ એક જ ચૂર્ણિમાં છે કે કેમ અને એ ચૂર્ણિ શું આજે મળે છે? (ર અભયદેવસૂરિનું રચેલું મનાતું અને ૧૮૧ ગાથામાં ગુંથાયેલું ભાસ જે ચૂર્ણિને આધારે જાયું છે તે ચૂર્ણિ કઈ ? (૩) ચન્દ્રગણિ કે ચન્દ્રર્ષિને નામે નોંધાયેલી અને ર૩૦૦ કપ્રમાણુક પ્રાકૃત-ટીકા જે જિ. ૨. ક. (વિ. ૧, પૃ. ૪૧૪)માં નિદે શાયેલી છે તે ચૂર્ણિથી ભિન્ન છે કે નહિ? | (૪) જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૪૧૪)માં સૂચવાયા મુજબ જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવે લગભગ ૫૪૭ કે ૪૪૭ ગાથામાં જે પ્રાત- ટિપ્પણું રહ્યું છે અને જે જેસલમેરના ભંડારમાં હોવાનું મનાય છે તે જે કઇક ચૂર્ણિને આધારે યોજાયું હોય તો તે કઈ ? (૫) “રાઃ જર્મપ્રચારની આવૃત્તિના અંતમાં પૃ. ૧૮માં ૧૩૨ પત્રની જે ચૂર્ણિ સેંધી છે તે કઈ? આ પ્રથોના ઉત્તરો હવે હું ક્રમશઃ સૂચવું છું – ૧. “ચૂર્ણિકત’ શબ્દ તે એકવચનમાં પૃ. ૧૫૮, ૧૯૦ અને ૨૧૬માં વપરાય છે. ૨ આ ભાસમાં અને મલયગિરિસરિત વિવૃતિમાં જે ચૂણિને ઉપયોગ કરે છે તેની એક પણ હાથળેથી મળતી નથી એમ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૪૧૪)માં કહ્યું છે પણ મને તે આ ચૂણિ ઉપલબ્ધ થયેલી અને મુદ્રિત કરાયેલી ચૂણિ હશે એમ લાગે છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy