SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય થવું ?” રાજાએ ટુંકાણમાં મુદ્દાની વાત કહી સંભળાવી. “તમારા હુકમને માન આપી અમે પણ તમારી સાથે આવીશું. મહારાજ ? ” રાજાએ તેમને તરતજ વિદાય કરીને તૈયાર થવાની સૂચના આપી. તેમના ગયા પછી વિક્રમાદિત્યે અગ્નિવંતાબનું સ્મરણ કર્યું, તે પણ રાજા સમક્ષ હાજર થ. - બુદ્ધિસાગર મંત્રીને રાજ્ય વ્યવસ્થા તેમજ રક્ષણ કરવાનું કામ ભળાવી વિક્રમ, અગ્નિતાલ, ભટ્ટ માત્ર, મદના અને કામકળા એ પાંચ ઘોડા ઉપર સવાર થઈને અવંતીથી ગુપચુપ રવાના થઈ ગયાં. માર્ગમાં અનેક ગામ, નગર વન, જંગલ નદી તળાવ, પર્વત વિગેરે જતાં કેટલેક દિવસે એ પાંચે ઘોડેસ્વારે પ્રતિષ્ઠાનપુરની સમીપે આવી પહોંચ્યાં. તેઓ પેલા ઉદ્યાન સમીપ આવ્યાં કે ઉદ્યાનની રક્ષિકા માજારીએ ત્રણ વખત કુત્કાર શબ્દ કર્યો. એ કુત્કાર શબ્દ સાંભળી રાજાએ ભટ્ટ માત્રને પૂછયું. “મિત્ર ? આ મારી શું કહે છે? આપણને કાંઈ સૂચવે છે કે શું ? | - “રાજન ? માજરી આપણને કહે છે કે પુરૂષને દ્વેષ કરનારી રાજપુત્રી હમણું આવીને તમને મારી નાખશે. ભટ્ટમાત્રની વાણું સાંભળીને રાજા વિચારમાં પડે. “ઓહો? શું આપણે અહીં મરવા આવ્યા છીએ? નહિ! નહિ ! એક સ્ત્રીના હાથથી મરવું એના જેવું નીચ બીજું શું ? મિત્ર? કાંઈ ઉપાય? " जीवन भदाण्यवाप्नोति जीवन् धर्म करोतिच । जीवनुपकृति, कुर्थात् जीवनः किं न जाय ते ॥ ભાવાર્થ-જીવતે મનુષ્ય કેઈ વખતે કલ્યાણને મેળવી શકે છે, જીવતા હોય તે તે ધર્મ કરી શકે છે, તેમજ ઉપકારનાં
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy