SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૯ મું ૩૭ આ વાતચીતથી ચારે જણું ભય પામ્યા ને ચોરી કરવી છેડી પાછા ફર્યા. તેમને સમજાવી પ્રજાપાલે પાછા વાળ્યા, “અરે! જેમની સાથે હું હેઉં તેમને રાજા પણ શું કરવાનું છે? માટે રાજાને ભયે રાખ્યા વગર ઉપાડે! ' પ્રજાપાલના કહેવાથી પાછા ફરેલા ચારે જણાએ, રત્નથી ભરેલી એકેક પેટી ઉપાડી ત્યાંથી ઉપડથા ને રાજમહેલની હદ છોડી માણેકચોકમાં આવી પહોંચ્યા. માણેકચોકમાંથી પેલા ચારે ચારે પ્રજાપાલને રામ રામ કરીને ચાલ્યા. તેમને જાતા જોઈ પ્રજાપાલ છે. અરે બંધુઓ ! હવે તમે કયારે મળશે? અને કયાં મળશે? પ્રજાપાલના પૂછવાથી ચારે બોલ્યા, “અહીંયા કાલે સંધ્યા સમયે આપણે ફરીને મળશું. લો રામરામ! ” “પણ હું તમને ઓળખું શી રીતે? અહીં તો હજારે લેક ભેગા થાય છે. માટે ઓળખવા માટે કોઇ લક્ષણ ? ? હા ! અમારા ચારેના હાથમાં એક જ જાતનું ફળ હશે એ નિશાન ! એમ કહી ચેરે ચાલ્યા ગયા. તેમના ગયા પછી પ્રજાપાલ-રાજા પિતાના ભાગની પેટી લઈને રાજમહેલમાં દાખલ થઈ ગયે; પેલી પેટી એક સ્થાનકે ગઢવી નિરાંતે શયનગૃહમાં આરામ લેવાને ગયે. શ્રમિત થયેલો રાજા નિદ્રાવશ થઈ ગયે. પ્રાત:કાલે બંદીજનોના માંગલિક શબ્દો સાંભળતાં જ રાજા જાગી ઉઠે. અને પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ તેણે કર્યું ને પ્રાતઃવિધિથી પરવારી રાજસભામાં આવ્યો, રાત્રિની વાતને નહિ સભારતે રાજા વિક્રમાદિત્ય રાજસભામાં બીજા અનેક ઉપયોગી કામ કરવામાં મશગુલ થઈ ગયે.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy