SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું ૧૬૧ બે “અહીંયાં હું પોતેજ છું એવું તેં શા પરથી જાણ્યું? પેલા ભારવટ્ટ ઉપર લખેલા આપના અક્ષર ઉપરથી વળી એ બે શ્લેક વાંચી આપની સ્થિતિ હું સમજી ગયો. પછી તે આપની તપાસ કરવા, હું અવન્તીમાં હાજર થયો. દીકરા ત્યારે તું તે મારા કરતાંય સવારે થયે, અમારા કરતાં અધિક તું કેની સહાયથી થયે?” રાજાએ આતુરતાથી પુત્રની શક્તિ જાણવાની ઈન્તજારી બતાવી. પિતાજી! નગરી બહાર રહેલી દેવીચંડિકાના પ્રાસાદથી ! તેમના વરદાનથી રૂપપરાવતિની અને અદશ્યકારિણી એ બે વિદ્યાઓ સિદ્ધ કરીને તમારા જેવા મહાપુરૂ થી પણ હું દુઃખસાધ્ય થયે” દેવકુમારનાં વચન સાંભળી બધી સભા રાજી થઈ અને ચેરના સકંજામાંથી આજથી બધી અવંતી મુકત થઈ ચોરને શિક્ષા કરવાની વાત તે હવે હવામાં ચાલી ગઈ. રાજાએ પુત્રનું નામ એના અ૬ભુત ચરિત્ર ઉપરથી વિક્રમચરિત્ર રાખ્યું. રાજા વિક્રમાદિત્યે વેશ્યાને વસ્ત્રાભરણ આપી તેનું માનસન્માન વધાર્યું; નગરનાયિકા ને મુખ્ય વેશ્યા બનાવી આઠ ગામ ઈનામમાં આપ્યાં, રાજાની કૃપા મેળવીને કાલી પ્રસન્નતાથી પોતાને અવાસે ચાલી ગઈ. રાજસમા બરખાસ્ત થતાં મંત્રી વિગેરે પિતપોતાને સ્થાનકે ગયા. રાજાએ તલારક્ષક વિગેરેનું જે ધન લુંટાયું હતું, તે બધું તેમને પાછું આપી દીધું, ને દેવકુમારને લઈ તે અંતઃપુરમાં ગયો. ના િત, સિદી પતિ ચિન્ ? सहव दाभिः पुत्रारं यहति गर्दभीः ।। ભાવાર્થ એક પરાક્રમી પુત્રને જન્મ આપી સિંહણ નિર્ભય થઈને સૂઈ જાય છે. ત્યારે દશ દશ પુત્રોની સાથે ૧૧
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy