SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અજાપુત્રની કથા. ૩૫ છુટયા. એમ અજાપુત્રના ઉપાયથી જયશાળી વિમલવાહન રણગણધીને પોતાના આવાસમાં આવ્યા. તેવામાં લોચનની જેમ નગરદ્વાર ચોતરફ ઉઘડ્યાં અને માર્યા ગયેલા શત્રુઓને જોવા માટે નગરીએ કૌતુકથી જાણે આખે ઉઘાડી હેય. પછી રાજાએ પિતાનું ઔધ્વદેહિક કર્યું. કારણ કે શત્રુઓને ઉછેદ કરતાં ક્ષત્રિના પૂર્વજે પ્રસન્ન થાય છે. આ વખતે ન વર્ણવી શકાય તેવી નગરની શેભા બની અને રાજાને રાજ્યલાભ તથા જય મળતાં મંગલ ગવાઈ રહ્યાં. વળી લાખ ગજાશ્વ-પુરૂષ સહિત અજાપુત્રને જોઈ, રજા તેની સન્મુખ આવી, પોતાના પ્રાસાદમાં લઈ જતાં, અંજલિ જેને તે કહેવા લાગે કે –“હે મહાસત્ત! તે મને જીવિત આપ્યું છે. શત્રુઓથી લુંટાતા મારા રાજ્યનું તેં રક્ષણ કર્યું નહિ તે એ વરને પ્રતિકાર મારા જેવાને તે અશક્ય જ છે, તે તમે કરી આપે. એમ અનેક ઉપકારેથી તું મારે ઉપકારી છે, માટે તું આજ્ઞા કરી કે જેથી તું મિત્રને હું અનુણી થાઉં.” આ તેના વચનથી પ્રસન્ન થયેલ અજાપુત્ર પ્રીતિપરાયણ રાજાને કહેવા લાગ્યું કે—‘તારા સહિતની સિદ્ધિથી મારું સમીહિત સિદ્ધ થયું. પરોપકાર કરતાં અન્ય દ્રિતા પણ મને અભીષ્ટ નથી. તે તારામાં સંપૂર્ણ થયે, તે હવે દ્રવ્યાદિકની કોઈ જરૂર નથી. એમ રાજાને કહી તે કેટલેક વખત પ્રીતિથી ત્યાંજ રહ્યો. એવામાં એકદા તે પિતાની નગરી ભણી જવાને ઉત્કંઠિત થતાં ચિંતવવા લાગ્યો કે–“મારી દષ્ટિએ ત્રણે ભુવન જોયા અને પરેપકાર પણ કર્યો. તે હવે સ્વસ્થાન તરફ પાછા જાઉં.” એમ ચિંતવી, સજાની આજ્ઞા લઈને અજાપુત્ર તે ગજા–પુરૂષ એક લક્ષ સૈન્ય તથા મકરનરસહિત પોતાની નગરી ભણી ચાલ્યું. . એવામાં તે નારીના ચંદ્રાપીડ રાજાએ લગભગ પ્રભાતે પોતાના વાતને સૂચવનારી દેવતાની વાણીને યાદ કરી અને
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy