SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ચંદ્રપ્રભસ્વામી—ચરિત્ર. સંતાપ પામતા વિમલવાહન રાજાએ અજાપુત્રને શત્રુઓના નાશ કરવાનું કહ્યું, ત્યારે તેણે જણાવ્યું કે હું રાજન્ ! તમે શત્રુઓને દૂતના મુખથી કહેવરાવા કે મ ંગલવારે પ્રભાતે યુદ્ધને માટે સજ્જ થઇ રહેજો. ’ એ વચન સ્વીકારતાં રાજાએ તદ્વારાએ તે પ્રમાણે કરાવ્યું. ૮ પણ તે હાથી વિના મારે આરૂઢ : કયાં થવું ? એમ રાજાને ચિંતા થઇ પડી. એટલે પ્રતિપત્રના નિર્વાહ કરતાં અજાપુત્રે તે સરોવરના જળથી હસ્તિપુરૂષને પાછે હાથી અનાચે. તેથી જાણે પાતાના પિતા હાય તેમ તે હાથીને જોતાં રાજાએ કહ્યું કે— - હવે શત્રુસૈન્ય ભાગ્યુંજ સમજવુ', પછી સ` અળપૂર્વક રાજા તે ગજ પર આરૂઢ થઇ, દૈત્યો સાથે લડવા જતા ઇંદ્રની જેમ યુદ્ધ કરવા નગરની બહાર નીકળ્યેા. તેવામાં શત્રુઓના અશ્વ, હાથી જ્યાં પાણી પીતા. તે સરાવરમાં અજાપુત્રે તે ચૂર્ણ નાખ્યુ અને પોતે પાળપર બેસી ગયા. પછી ત્યાં ગજ, અશ્વ પાણી પીવા આવતાં ક્ષણવારમાં તે ચૂના પ્રભાવથી પુરૂષો બની ગયા. એમ લાખ ગજાશ્વ પુરૂષ અન્યા અને તે ચૂર્ણના મહાત્મ્યથી અજાપુત્રને તાબે થયા. તે પુરૂષોને જોતાં અજાપુત્ર વિચારમાં પડ્યો કે ' હું ધારતા નથી કે આ ઔષધના પ્રભાવ હાય, પરંતુ એ દુર્ઘટ ઘટના દેવના પ્રભાવે સ ભવે છે. હવે ગજાશ્વના સૈન્ય વિના દાઢ ‘વિનાના સંપની જેમ મિથ્યા આાપ બતાવતા શત્રુઓ યુદ્ધ કરવા આવ્યા. તેમનું સ્વરૂપ જાણી વિમલવાહન તેમની સામે ધસ્યા. કારણ કે ઉપાય મળવાનું હોય છે. ત્યાં પૃથ્વીના અંધકારને આકાશમાં રહેલા સૂર્યની જેમ ગુજારૂઢ રાજાએ શત્રુનું સૈન્ય ભાંગી નાખ્યું. મદ્યરાચલની જેમ ગજરાજવટે શત્રુ-સૈન્યરૂપ `સાગર વલાવતાં વિમલવાહને શ્રીપતિ–કૃષ્ણની જેમ લક્ષ્મી પ્રાપ્ત કરી કેટલાક ઋતુઓને હાંથે પકડ્યા, કેટલાકને જમીનદોસ્ત કરી મારી નાખ્યા, કેટલાક શ તજી ભાગ્યા અને કેટલાક ગજાવરહિત થઈ ભાગી •
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy