SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી–ચરિત્ર. પહેરે તે એક શ્રેણીને તે સ્વામી થાય, અને તેના ગે સર્વ સમૃદ્ધિ તેને અવશ્ય સંપન્ન થાય. પછી વિદ્યાધર આકાશ–માર્ગે જતાં પિતાની પ્રિયાને લપડાક મારવા જતા તેના હાથમાંથી એક કંકણ પી ગયું, તેની બહુ શોધ કરી, છતાં હાથ ન લાગ્યું. જેને તે કંકણ મળશે, તે એક શ્રેણિને સ્વામી થશે.” એમ તેમના વચન સાંભળતાં દાસીને તે કંકણ યાદ આવ્યું કે-“રાજાની પુત્રી પાસે મારા ખોળામાં જે કંકણ પડ્યું તે એજ હશે. અહો ! જીવરક્ષાનું મને ફળ મળ્યું, કે એ કંકણ પ્રાપ્ત થવાથી વિદ્યાધરની ઋદ્ધિ મળે. એમ ધારી દાસી રત્નાંગદને કહેવા લાગી કે–એ રત્નકંકણ હું તને આપું, પણ તું મારી આજ્ઞામાં રહેજે. રત્નાંગદ બે-“હે યક્ષ! સ્વામિન્ ! જે તમે કહે, તે કામ હું તરત બજાવીશ.” એમ તેણે કહેતાં દાસી બેલી કે- જે એમ હોય, તે સાંભળતું સ્વાસ્થાને જતાં પિતાના વિમાનમાં કંકણ સહિત સ્ત્રીને જોઇશ, તેને તું સદાને માટે તારી પ્રિયા બનાવજે, તારે તેનું કદિ અપમાન ન કરવું અને તેની આજ્ઞામાં વર્તવું.” એમ કહી, તે પક્ષમાંથી હળવે હળવે નીકળી અને અંધકારમાં તે ન જુવે તેમ તે વિમાનમાં કેઈ સ્તંભને આંતરે દેખવામાં ન આવે તેમ છુપાઈ રહી. પછી થી વારે રત્નાગદ વિમાન પાસે આવતાં, યક્ષના કહ્યા પ્રમાણે તેણે ઉતાવળ કરતાં તરત પિતાના સ્થાને આવતાં તે દાસી પ્રગટ થઈ તેને સકંકણ જોઈ, યક્ષના વચનથી તે બહુ વિસ્મય પામે, અને બોલ્યા કે નહિ પ્રિય ! આવ, આવ, યક્ષે મને તું વલ્લભા આપી” એમ કહેતાં તે વિદ્યાધર તેને આલિંગન આપી સાથે રમવા લાગ્યો અને પક્ષના આદેશથી નમ્યું. પછી પ્રભાતે તે કંકણના પ્રભાવથી વિદ્યાધર એક શ્રેણીનું રાજ્ય પામતાં તેણે તે દાસીને પોતાની સ્વામિની બનાવી. તે દાસી પિતાના મનમાં તે બધું જીવરક્ષાનું પુણ્ય માની, સમૃદ્ધિ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy