SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩રર - શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર. એકદા તે વનમાં શુકયુગલ, જ્યાં માનપુંજ બેઠા હતા તે વૃક્ષ પર આવી બેઠું. તેવામાં શુક શુકીને કહેવા લાગ્યું કે –“આજે ચાતુર્માસિક પર્વ છે, જેથી આજે મારે ઉપવાસ છે, તારે ખાવું હાય, તે ખાજે.” ત્યારે શુકી બલી-“હું પણ ખાવાની નથી, ઉપવાસ કરીશ, ખાવાનું તે રાજ તેમજ માનતી જ છે. તે આજે પર્વ દિવસે તપ કરીએ.” એમ શુક-ગુકીની વાણું સાંભળતાં દાસી ચિંતવવા લાગી કે–અહે! જુઓ તે આ તિર્યને કે નિયમ છે? મનુષ્યત્વમાં ઉત્પન્ન થયા છતાં મેં કદાપિ તપ કરેલ નથી. પશુઓને મારીને, માંસ ખાતાં ખરેખર ! અમે પણ પશુ જેવા જ છીએ, તે આજે તેમણે કહેલ તપેદિવસે મારે ન ખાવું અને મારે તેને માંસ પકાવી ન આપવું.' એમ નિશ્ચય કરી દાસી બેઠી છે, તેવામાં માનતુંગ મૃગને મારવા શસ્ત્રસજજ થયું. ત્યાં દાસી બોલી કે આજે મૃગને ન માર. આજે તે શુકયુગલે પણ ચાતુર્માસિક તપ કરેલ છે.” એમ તેણે વાર્યા છતાં ઉલટી અધિક કુરતા લાવી, બલાત્કારથી મૃગ મારી તેણે દાસી સામે નાખ્યો અને કહ્યું કે-માંસ પકાવ.” તે બોલીઆજે સર્વ પાપારંભના વિરામરૂપ તપ કરેલ છે, માટે પકાવીશ નહિ.” એટલે માનપુંજ પતે માંસ પકાવીને ખાવા બેઠે. ત્યાં શુક વિચારવા લાગ્યું કે –“મારૂં વચન તે એ બંનેએ સાંભળ્યું, પણ દાસીએ તપ આચર્યું. એ બિચારી મૃગલીની જેમ વનમાં વૃથા જન્મ ગુમાવે છે, માટે કીર્તિ રાજ નામે રાજપુત્રની એને ભાય બનાવું.” એમ નિશ્ચય કરી, તે દિવસ શકિ સહિત ત્યાં રહી, શુક વજપુરમાં ગયે કે જ્યાં કીર્તિરાજ રાજકુમાર રહેતું હતું ત્યાં આવ્યું. “શુકરાજ! તમને સ્વાગત છે?” એમ કીર્તિરાજે બોલતાં શુક તેને નમીને કહેવા લાગે છે રાજકુમાર ! તમારા આદેશથીએ શુકીને લઈ જતાં મેં પાસેની વનમાં એક દિવ્ય રૂપવતી રમણી જોઈ.” આથી કી.ત્તરાજે તે શુક સાથે
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy