SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ઉપર આરામનંદનની કથા. ૧૦૯ અને શાંત અને સ્વાધ્યાય કરે. સ્વદારા સતેષ ધરી, જિનનું સ્મરણ કરતાં રાત્રે શયન કરે. બધા ધર્મકાર્યોમાં ભાવસહિત પ્રવર્તે.”એ પ્રમાણે સક્ષેપથી દિનકૃત્ય સાંભળતાં, પિતાની આત્મશુદ્ધિ નિમિત્તે આજન્મ ચેમાસાને લગતા ઘણુ નિયમે આરામનંદને અંગીકાર કરતાં, સાગર શેઠે તેને સાધમિક સમજીને નમસ્કાર કર્યા અને ભોજનને માટે નિમંત્રણ કર્યું-“હે ભદ્ર! સદા મારા ઘરે તારે ભોજન કરવું.” એમ શેઠના આગ્રહથી તે ત્યાં જમતા અને નગરની સ્થિતિ જોયા કરતે. એવામાં દેહને સંતાપકારી ગ્રીષ્મઋતુને તાપ શાંત કરવા વર્ષાઋતુ આવી, કે જ્યાં મેરના ટહુકા સાથે મેઘને ગરવ સંભળાતે, વિરહિણી વનિતાઓના અશ્રુજળ સાથે આકાશ થકી જળધારા પડતી, પથિક કેનાં હૃદયે સાથે નદીઓના તટ મેદાતા અને નગરજનેની જેમ સૂર્ય પિતાના પાદ–પગ કે કિરણે કાદવને લીધે પૃથ્વી પર સ્થાપન કરી શકતે નહિ. એકદા ત્યાંના લક્ષ્મીધર રાજાને હાથી, પાણી પીને પાછો વળતાં સરેવરની પાળ પર પી ગયે. અત્યંત સ્કૂલ શરીરના ભારે તે ઉઠવાને અસમર્થ થતાં પર્વતની જેમ માર્ગ શેકીને તે ત્યાં જ પડયે રહ્યો. એટલે મહાવતે એ હકીકત રાજાને નિવેદન કરતાં, રાજાએ હાથીને ઉઠાડવાના ઘણા ઉપાએ લીધા. તે પગ માં શકે તેટલી ભૂમિ નીચે ખેદાવતાં પણ તેણે પગ માંડયે નહિ અને વાધર કે દેરડાવતી ઉપાડતાં પણ તે ચાલ્યા નહિ. વળી પ્રધાનાદિકની બુદ્ધિ પણ રાજાએ પારખી લીધી, જેથી છેવટે નગરમાં તેણે દાંડી પીટાવીને ઉષણ કરાવી કે જે સુબુદ્ધિ પોતાની ચાલાકીથી એ હાથીને ઉઠાડે, તેને રાજા માગ્યું આપશે. હે લેકે ! એ વાત તમે ધ્યાન દઈ સાંભળો. ત્યાં નગરજનેએ ધાર્યું કે –“હાથીને ઉઠાડવા માટે રાજાએ ઉપાયે લેવામાં બાકી રાખી નથી.” એમ
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy