SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના કવાદઃ પાલનથી જ થાય છે. દેવ-નારાને અવિધજ્ઞાનની પ્રગટતામાં વ્રત–નિયમાદિની અપેક્ષા રહેતી નથી. ૪૨ ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામી, અનનુગામી, વ માન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત. ૧. જે અવધિજ્ઞાન, ઉત્પત્તિક્ષેત્રને છેડીને ખીજી જગ્યાએ જતાં છતાં પણ નષ્ટ પામે નહી અને સાથે સાથે આવે તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. ૨. ઉત્પત્તિ સ્થાનના ત્યાગ કરી અન્ય સ્થાને જતાં જે અવધિજ્ઞાન નષ્ટ પામી જાય તે અનનુગામી અધિજ્ઞાન કહેવાય છે. ૩. ઉત્પત્તિ સમયથી અન્ય સમયે ક્ષેત્ર, શુદ્ધિ આદિ દૃષ્ટિથી ક્રમશઃ વૃદ્ધિ પામવાવાળું હોય તે વધ માન અવિધજ્ઞાન કહેવાય છે. ૪. ઉત્ત્પત્તિના સમયબાદ પરિણામેાની વિશુધ્ધિમાં ન્યુનતા થતી રહેવાના કારણે ક્રમશઃ અલ્પવિષયક થતું જાય. તે હીયમાન અવધિજ્ઞાન છે. ૫. અવધિજ્ઞાન જન્માંતરમાં પણ આત્મામાં કાયમ રહે અગર કેવળજ્ઞાનની ઉત્પત્તિ પર્યંત આજન્મ ટકી રહે, તે અવસ્થિત, યા અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. e ૬. જે કયારેક ઘટી જાય, કયારેક વર્ષી જાય, આવીને ચાલ્યું જાય, ફરીવાર ઉત્પન્ન થાય, અને પાછુ' અલેપ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy