SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં પ્રરૂપિત કમ સ્વરૂપની વિશિષ્ટતા ૪૫૯ સČથા ત્રુટી જાય છે, અર્થાત્ કના આત્યંતિક ક્ષય થાય છે, ત્યારે આ આકષ ણુ ક્રિયા બંધ થાય છે, અને જીવને સંસારસંબંધ ત્રુટી જાય છે. જૈનદર્શને જડ અને ચેતન, પુર્દૂગલ અને જીવતત્ત્વાની જે પ્રમાણે પ્રરૂપણા કરી છે, તે માનવામાં આવે તે જ આખા કર્મોના સિદ્ધાન્ત ન્યાયપુરઃસર બને છે. સાંખ્ય આફ્રિના નિત્ય એકાંતવાદમાં કમના સિદ્ધાન્ત અંધ બેસતા નથી. કારણ કે તેમાં પુરૂષને નિષ્ક્રિય ફક્ત દ્રષ્ટા માનવામાં આવે છે. વેદાંત જેવા અદ્વૈતવાદમાં પણ કર્માંના સિદ્ધાન્તને આછે અવકાશ છે. કારણ કે તે દર્શનમાં કર્મ –જડની સત્તા પારમાર્થિક માનવામાં આવતી નથી, અને પારમાર્થિક માનવામાં આવે તે દ્વૈતવાદ આવીને ઊભેા રહે છે. બૌદ્ધના એકાંત ક્ષણિકવાદમાં પણ કર્માંના સિદ્ધાન્તને અવકાશ રહેતા નથી. કારણ કે આત્મા ક્ષણિક હાવાથી તા કમના કર્તા અને ભેાકતા જુદા જુદા પડી જાય છે. એટલે દરેક દર્શોના કર્માંના સિદ્ધાન્તને તે માને છે, પણ તેઓએ માન્ય રાખેલ તત્વપ્રરૂપણા સાથે કમનો સિદ્ધાન્ત બધ એસતા થતા નથી. જૈનદર્શન, જીવ સાથેના કર્મ પુદ્ગલનો સંબંધ અનાદિ માને છે, એટલે શુદ્ધઆત્મા કયા કારણથી જડ-કમના પાશમાં આળ્યે, તે સવાલ ઉપસ્થિત થતા નથી. જૈનદર્શન જીવને કુટસ્થ નિત્ય માનતું નથી, પણ પરિણામી નિત્ય, પારિ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy