SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ -૪૦૮ જૈન દર્શનને કર્મવાદ કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા. સાહેબા વાસુપૂજ્ય જિર્ણદા. માટે સંસાર વૃદ્ધિને રોકવા માટે આત્મામાંથી રાગ અને દ્વેષ હટાવવાને પ્રયત્ન કરે, એ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય અને પરમ ધર્મ છે. સંસારી અવસ્થામાંથી મુકત બનવાને માટે કર્મને આવવાના ઉપરોક્ત હેતુઓને રેકવાને જે પ્રયત્ન, જે વર્તન દ્વારા કરાય, તેવા જીવના વર્તનને “સંવર” કહેવાય છે. કર્મ બંધના હેતુરૂપ આશ્રવને નિષેધ કરવાની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, વિરતિથી અવિરતિને, ક્ષમા-નમ્રતા-સરલતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ-માન-માયા અને લેભને, જીવનમાંથી ખસેડવાના પ્રયત્નશીલ બનવું જોઈએ. તથા સંયમસંસ્કારથી મન-વચન-કાયાના વ્યાપારરૂપ ગેને શુભ અને નિર્મળ બનાવવાની કોશિષ ચાલુ રાખવાથી, ધીમે ધીમે તેમને પણ નિરોધ થઈ જાય છે. આ રીતે આશ્રવ અર્થાત્ કર્મબંધવ્યાપારને અટકાવનાર આત્માના શુદ્ધભાવ-પરિણામને સંવર કહેવાય છે. અહિં આશ્રવ તે અધર્મ, અને સંવર તથા નિર્જરા તે ધર્મ કહેવાય છે. શાસ્ત્રમાં અહિંસા, સંયમ અને તપને જ ધર્મ કહ્યો છે. તેમાં અહિંસા અને સંયમ તે સંવરરૂપ અને તપ તે નિર્જરારૂપ છે. એકલી અહિંસા એટલે હિંસાનાં પચ્ચકખાણ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy