SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ર જૈન દર્શન કર્મવાદ કરવું અને ઉપરોક્ત પૃથ્વી આદિ જીવની હિંસામાં પાપ નહિં માનવું એ તે કેવલ પંપતિઓનું જ રક્ષણ કરનાર રાજ્યના અન્યાય જેવું ગણાય. પરંતુ જૈનદર્શનમાં એવું નથી. -અંહિ તે કહે છે કે સર્વ જીવોની રક્ષા માટે ઈન્ટિની પ્રવૃત્તિનાં પચ્ચકખાણ કરે ત્યારે જ પૂરેપૂરી અવિરતિ ટાળી ગણાય. અને તેથી જ જીનેશ્વર ભગવતે પૃથ્વીકાય-અપકાય -તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાય અને ત્રસકાય, એ છએકાયની હિંસામાં થતી ઈન્દ્રિયની પ્રવૃત્તિના જ અનિયંત્રણને અવિરતિ કહી છે. તે અવિરતિના બાર ભેદમાં પાંચ ઇન્દ્રિય અને મન, એ એનું અનિયંત્રણ અને પૃથ્વીકાય વિગેરે છું કાયની હિંસા બતાવી. એ બારે પ્રકારની અવિરતિથી સંપૂર્ણપણે વિરામ પામનાર. તે મહાવ્રતધારી કહેવાય છે, સહાગ્રત પાંચ છે. (૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાન વિરમણ (૪) મિથુનવિરમણ અને (૫) પરિગ્રહ વિરમણ. આમાં પહેલું મહાવ્રત, હિંસાથી સંપૂર્ણ વિરમવા રૂપ છે. પરંતુ હિંસાની વિશાળ વ્યાખ્યામાં અસત્ય, ચોરી, અબ્રહ્મ, અને પરિગ્રહ એ બધા દોષ સમાઈ જતા હોવાથી, એ પાંચનાં પચ્ચકખાણ તે ખરી, રીતે તે હિંસાનાં જ પચ્ચકખાણ છે. તે પણ અસત્યાદિ. ચાર પ્રવૃત્તિ હિંસાને ઉત્પન્ન કરનાર હોવાથી તે પ્રવૃત્તિો દ્વારા ઉત્પન્ન થતી હિંસા વડે દોષિત થઈ ન જવાય તે ચાટે હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ, એ પાંચે પ્રવૃત્તિનાં પચ્ચકખાણ કરવાં જરૂરી હોઈ મહાવ્રતને પાંચ ઉંચ્ચરાય છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy