SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબન્ધના હેતુઓ ૩૭૯ કર્મને આશ્રવ અવશ્ય થાય છે. અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મસ્મભક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વ છેડેલા શરીરના પુદ્ગલથી અને શસ્ત્રોથી થતી હિંસાને, અને પૂર્વભવમાં સંગ્રહિત પરિગ્રહના મમત્વ ભાવનો, કર્મ આશ્રવ આ ભવમાં પણ જીવને થાય છે. વર્તમાન ભવમાં બીન ઉપગી પદાર્થોનું પ્રત્યાખ્યાન નહિં કરનારને, અને અનાદિકાળથી આ સંસારચક્રમાં અનંતીવાર કરેલ પૂર્વભવના મરણ સમયે રાગપૂર્વક છોડીને આવેલ સ્વશરીરે, શસ્ત્રો અને પરિગ્રહના મમત્વભાવને હજુ પણ નહિ સિરાવનાર છેને, અવિરતિથી થતો કર્માશ્રવ ચાલુ જ રહેવાને. આવી અવિરતિને અવિરતિ તરીકે નહિ માનનાર છે મિથ્યાત્વી કહેવાય છે. અહિં કોઈ શંકા કરે કે, પદાર્થ તે કર્માશ્રવને હેતું નથી, પરંતુ પદાર્થપ્રત્યેને રાગ કે દ્વેષ જ કર્મા શ્રવને હેતુ છે. તે વર્તમાન ભવમાં જે પદાર્થનો ઉપયોગ અંગે વિચાર-વાણી કે વર્તનને સંભવ પણ ન હોય, જે ચીજને જાણી પિછાણી પણ ન હોય, તેવા વિષય અંગેના રાગદ્વેષવિના કર્મબંધન શી રીતે લાગે ? અહિં જે વસ્તુ અંગે ક્યારેક પણ સંબંધ થ અશક્ય છે, એમ નિશ્ચય હોવા છતાં પણ, તે વસ્તુ અંગેનું પ્રત્યાખ્યાન (શપથ) લેવા જવા તૈયાર થતું નથી, એજ તેનું અવિરતિ પણું છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy