________________
૩૭૩
કર્મબન્ધના હેતુઓ દેવાવાળું મિથ્યાત્વજ છે. મિથ્યાત્વને નાશ થયા બાદ જ સત્તરને આત્યંતિક વિયેાગ થઈ શકે. | સર્વ પાપસ્થાનકને સંસાર વૃદ્ધિનાં કારણ માનીને તે પાપસ્થાનકથી નિવૃત્ત થવાને અભિલાષી હોય, પૂલ રીતે પાપ પ્રવૃત્તિને ત્યાગી પણ હોય, કુટુંબ-કબીલે આદિ સાંસારિક સંગેથી અલિપ્ત પણ હેય, મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હેય, આ જીવ પણ જીવાદિતના યથાર્થપણાને, આશ્રવ અને બંધના સર્વથા હેયપણાને, સંવર તથા નિર્જરાના સર્વથા ઉપાદેયપણાને અજાણ હોય, અને એક્ષપ્રાપ્તિને યેગ્ય સપ્રવૃત્તિઓને જ્ઞાનિ પુરૂષની નિશ્રાવિના આરાધક હેય, તે તે પણ ઉપરક્ત તત્ત્વથી યથાર્થ રીતે અનભિજ્ઞ હોવાથી, અવિરતિથી વિરામ પામી શકતું નથી. કારણ કે અવિરતિથી વિરામ પામવાની ઈચ્છાવાળાએ પ્રથમ તે પાપાનની યથાર્થ રીતે સમજ પામવી જોઈએ. પાપસ્થાનકે અંગેની કેટલીક સૂમ હકીકત સમજમાં ન આવે તે તેવી હકીકત બતાવવાવાળા સર્વજ્ઞવચનમાં વિશ્વાસુ-શ્રદ્ધાળુ બનવું જોઈએ. એ સિવાય પાપસ્થાનકથી સર્વથા વિરામ પામી શકતું નથી.
“અહિંસા પરમો ધર્મ” માનવાવાળાએ અહિંસાનું સ્વરૂપ સમજવું જોઈએ. અહિંસા પાલનની ઈચ્છાવાળાએ હિંસાથી બચવા માટે જગતની કઈ ચીજમાં જીવપણું છે, ચા તે કઈ ચીજમાં કેવા સંયેગે જીત્પતિ થાય છે, કેવા સંગે જીવહિંસા થાય છે, કેવી રીતે જીવહિંસાથી