SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ જૈન દર્શનને કર્મવાદ આ પ્રમાણે દુરાગ્રહ, સંશય કે જડતાના કારણે વર્તતી અસત્ માન્યતારૂપ સર્વ પ્રકારની મિથ્યાત્વ દશા, તે આત્માને સતપ્રવૃત્તિથી પણ વંચિત રાખે છે. સમાન્યતાવાળે જ સતપ્રવૃત્તિ કરી શકે છે. સત્ માન્યતામાં જેટલી ખામી તેટલી સતપ્રવૃત્તિમાં પણ ખામી. સમાન્યતાને સ્વીકાર કર્યા બાદ કદાચ સપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવામાં વિલંબ થાય, પરંતુ સત્ માન્યતાવાલા બન્યા વિના તે સંસારમાં કોઈ જીવ સતપ્રવૃત્તિમાં પ્રવૃત બન્યું નથી અને બનવાને પણ નથી. અને સતપ્રવૃત્તિ વિના મોક્ષ પ્રાપ્તિ પણ નહિં હેવાથી, સત્ પ્રવૃત્તિની રોધક અને અસત્ત પ્રવૃત્તિની પોષક એવી અસત્ માન્યતારૂપ મિથ્યાત્વવાળે જીવ, દુઃખની પરંપરા ને વધારનાર અનેક કર્મોથી લિપ્ત થાય છે, અને દુખ ભેગવે છે. જીવને નરક અને તિર્યંચગતિમાં રખડાવનાર તે મિથ્યાત્વજ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીજી મહારાજ મિથ્યાત્વની ભયાનકતાનું વર્ણન કરતાં એક સ્થાનકે मिथ्यात्त्वं परमोरोगो, मिथ्यात्वं परम तमः मिथ्यात्व परम शत्रु मिथ्यात्वं परम विषम् ॥१॥ जन्मन्येकत्रदुःखाय, रोगोध्वान्तरिषुविषम् । अपिजन्मसहस्त्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥२॥ અર્થઅંધકાર, રેગ, વિષ અને શત્રુ, આ જગતમાં દુઃખનાં કારણે મનાય છે. પરંતુ તે સર્વથી પણ ચડી
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy