SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૩ઃ | મેહનીય કર્મના થતા ઉદય અને ઉદીરણ સમયે ઉપશમ અથવા ક્ષયોપશમ ભાવમાં રહીને ઉદયમાં આવતી. કર્મપ્રકૃતિને નિષ્ફળ કરે છે. જ્ઞાન અથવા તત્વજ્ઞાનના ઉપગથી શુકલ લેશ્યા ઉત્પન્ન કરી પૂર્વની વેશ્યાને શુદ્ધ કરી શુકલ લેગ્યામાં પરિણમવે છે. શુકલ લેશ્યામાં સ્થિર રહેવા માટે સિદ્ધસ્વરૂપનું ધ્યાન કરે છે. એ રીતે આત્માના સર્વગુણે વિકાસ પામવાથી કમેકમે અશુભ લેશ્યાને સંસર્ગ આત્મામાંથી છૂટી જાય છે. અને કર્મબંધ ધીમે ધીમે રૂક્ષતાને પામે છે. અંતે આત્માનું વિશુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે.. પ્રદેશબંધ - પ્રતિસમય જીવદ્વારા આકૃષ્ટ કાર્મણવર્ગણનાં દલિક–. સમૂહ અને તેમાંથી વિવિધ પ્રકૃતિરૂપે પરિણમવામાં ચોક્કસ દલિકસંખ્યાના નિયત પ્રમાણને પ્રદેશબંધ કહેવાય છે. જીવ તે કામણવગણના પુદ્ગલેને ગરૂપ વીર્ય– વડે ગ્રહણ કરી તેને કર્મરૂપે પરિણમાવે છે. એટલે જીવદ્વારા આકૃષ્ટ દલિકસમુહની સંખ્યામાં ન્યૂનાધિક્તાનું પ્રમાણ દલિગ્રહણ સમયે વર્તતા જીવના ગવ્યાપારના આધારે જ છે. સર્વ જમાં તથા એક જીવમાં પણ પ્રતિસમય. ગબળ સમાન પણે જ વર્તે એવો નિયમ નથી. જેથી પ્રતિસમયગ્રહિત કાર્મણવગણના પુદ્ગલ પ્રદેશ સમુહની સંખ્યા પણ સર્વ ને સમાનપણે હોઈ શકતી નથી. જે. ૨૩
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy