SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ અનાદિકાળથી રોકી રાખનાર મિથ્યાત્વ મેહનીય કર્મના તીવ્ર રસરૂપી ગાંઠને ભેદી નાખી આગળ વધે છે. આ ગાંઠ ભેદવાપણને જૈન પારિભાષિક ભાષામાં ગ્રંથભેદ કહેવાય છે. તે ગ્રંથભેદ જે અધ્યવસાયના બળથી થાય છે, તેનું નામ અપૂર્વકરણ કહેવાય છે. સંજ્ઞીપંચેન્દ્રિયથી નીચેની જાતિમાં ગ્રન્થિભેદ કરવા ગ્ય અધ્યવસાયે થતાજ નથી. સંજ્ઞીપંચેન્દ્રિયમાં પણ તે જ જી ગ્રન્થિને ભેદી શકે છે કે, જેઓએ આયુ સિવાય સાતે કર્મોની સ્થિતિ પત્યેપમને અસંખ્યાતમ ભાગ ન્યૂન એક કડાકડિ સાગરોપમ પ્રમાણની કરી હોય. એટલે આત્મામાં દીર્ઘ– સ્થિતિએ બંધાયેલ પૂર્વ સંચિત કર્મોની તે સ્થિતિ તેડી નાખી, ઉપર મુજબ ટુંકી કરી નાખે અને નવી સ્થિતિ તેથી વધુ ન બાંધે. આ રીતને લઘુસ્થિતિ બંધ સંજ્ઞીપંચેન્દ્રિય જીવમાં જે અધ્યવસાયના બળથી થાય, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા, ગ્રન્થિદેશ સુધી પહોં. ચેલે કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા ગ્રંથભેદ કરે જ એવી એકાંત વાત નથી. કેટલાક જીવેનું તે યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાત વર્ષે પર્યત ટકી રહે તેયે પણ ગ્રન્થિભેદ કરવા રૂપ અધ્યવસાય તેનામાં નહિ થવાથી તે છ યથાપ્રવૃત્તિકરણથી પણ છેવટે પતિત થઈ, પૂર્વે કર્મોની જે દીર્ઘ સ્થિતિ બાંધતા હતા તે પ્રમાણે જ બાંધવાનું ચાલુ કરે છે. એટલે યથાપ્રવૃત્તિકરણ કરવા દ્વારા
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy