SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કાકapi -- સ , . * * * * * જૈન દર્શનને કર્મવાદ છે. અમૂગુણ અરૂપીપણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વ ગુણ પોતપોતાના કાર્યના કર્તા છે. કાર્ય ભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે અભેદરૂપે છે. જેવી રીતે સુધર્ણમાં પીળાપણું, ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાર્યધમે કરી ત્રણ પ્રકારે છે. પરતુ કઈ સમયે તે ત્રણે ભિન્ન હોતા નથી. ત્રણેનું હેવાપણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના અનન્તગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોવા છતાં, વસ્તુધર્મથી ભિન્ન નથી. જો કે કાર્ય ભિન્ન ભિન્ન હોવા છતાં પણ ભેદ રહિત છે. તેમાં આત્માના જ્ઞાનદર્શન ગુણ મુખ્ય છે. અને વીર્યાદિ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે. આ આત્મા, છ એ દ્રવ્યના ગુણ-પર્યાય, ઉદયિકાદિક ભાવને જ્ઞાતા છે, પિતાના જ્ઞાનાદિ અનન્તગુણ લક્ષમીને કર્તા છે, અનન્ત રણરૂપ પર્યાયને જોક્તા છે, સ્વપરિણતિરૂપ ઘરને “રમતા” છે, જ્ઞાનાદિ ગુણ સમુહને “ગ્રાહક” છે, સ્વધર્મમાં વ્યાપ્ત છે, સ્વપરિણતિને ધારણું કરનારે છે. અર્થાત્ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, સ્વધર્મ સમૂહને જ છે. એ સર્વશક્તિ આત્મામાં સહજરૂપે પ્રવર્તનીય હોય છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, એ પંચાસ્તિકાયમાં ચાર અસ્તિકાય “અકર્તા છે. જીવાસ્તિકાય સ્વતંત્ર કર્તા છે. જે સ્વતંત્રરૂપે કારણાવલંબી બની કાર્ય કરે તે “કર્તા” કહેવાય છે. એ રીતે જ્ઞાનાદિ કાર્યને કર્તા જીવ છે. અન્ય દ્રવ્ય તે ઉત્પાદ-વ્યય એવું ધૃવરૂપે પરિણમિત છે, પરંતુ કર્તા નથી. તેનું કારણ એ માત્મા સાદિ અને અપરિણતિર્મમાં . , , અ ન "* "પદ્ધ માળ ઇ . 1 Hr : * * * * તમારી જાતને "તેમના ખ્યા ,, - 1} : *
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy