SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છે આત્માની સ્વભાવ દશા અપ્રગટપણે હેવાથી તે ગુણેને પ્રગટ કરવા માટે આપણને માર્ગદર્શક બન્યા છે. જ્ઞાનાદિ ગુણોની અનન્તતા, આત્મિક નિર્મલતા, સમકિતી જીવને શ્રદ્ધાગોચર છે, પૂર્વધરને પરોક્ષભાસનગોચર છે, અને કેવલિને પ્રત્યક્ષ ગોચર છે. આત્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનન્ત જ્ઞાનાદિ ગુણ છે. એક એક ગુણના અનન્ત પર્યાય છે. અને તેમાં અનંત સ્વભાવ છે. પરંતુ તે સર્વને કેવળજ્ઞાનથી જ જાણી શકાય છે. જેવી રીતે સ્વયંભૂરમણ સમુદ્રના પ્રબલ જળને અંજલીથી માપવું, તથા સમુદ્રમાં ઉડતી તરંગેને ગણવી, એ અસંભવ છે, તે પણ કલપનાથી માની લઈએ કે એ પણ શક્તિવાન કેઈ કદાચ હોય. પરંતુ તેવા શક્તિવાનથી આત્માના ગુણોની અનંતતા ગણું શકાતી નથી. તે ગુણોની અનન્તતાને કેવળી ભગવાન જાણતા હોવા છતાં પણ, વચન— ગથી સંપૂર્ણ રૂપમાં વ્યક્ત કરી શકતા નથી. માટે તે ગુણ, અનન્ત છે. એક આત્મામાં જ્ઞાનગુણ, દશનગુણ, ચારિત્રગુણ, વીર્યગુણ, દાનગુણ, લાભગુણ, ગગુણ, અરૂપી. ગુણ, અગુરુલઘુગુણ, અવ્યાબાધગુણ, ઈત્યાદિ અનન્ત ગુણ છે. તે સવેગણ ભિન્ન ભિન્ન પરંતુ સમુદાય રૂપ છે. કેઈ સમયે તે ભિન્ન ક્ષેત્રી હોઈ શકતા નથી. તે અનન્ત ગુણ– પર્યાયે એક પિંડ એ આત્મા છે. માટે એક રૂપ છે. છવદ્રવ્યમાં જેટલા ગુણ છે, તે સર્વે પૃથફપૃથરૂપે પિતાનું કાર્ય કરતા જ રહે છે. દર્શન દેખવાનું કામ કરે છે, જ્ઞાન જાણવાનું કામ કરે છે, સમ્યકૂવ નિર્ધાર કરવાનું કામ કરે * *** કે જા - * * ૫
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy